સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પાંચમો:૧. પહેલો અનુભવ

વિકિસ્રોતમાંથી
← ૪૭. અસીલ જેલમાંથી કેમ બચ્યો ? સત્યના પ્રયોગો અથવા આત્મકથા
૧. પહેલો અનુભવ
મોહનદાસ કરમચંદ ગાંધી
૨. ગોખલેની સાથે પૂનામાં →


આત્મ કથા : ભાગ ૫


૧. પહેલો અનુભવ

હું દેશમાં આવ્યો તે પહેલાં ફિનિક્સથી જેઓ પાછા ફરવાના હતા તેઓ આવી પહોંચ્યા હતાં ગણતરી એવી હતી કે હું તેમન પહેલા પહોંચીશ, પણ હું લદઈને સારુ લંડનમાં રોકાઈ ગયો એટલે ફિનિક્સ વાસીઓને ક્યાં મૂકવા એ પ્રશ્ન મારી પાસે હતો. સૌ એક સાથે જ રહી શકે અને ફિનિક્સ આશ્રમનું જીવન ગાળી શકે તો સારું એમ મારા મનમાં હતું. હું કોઈ આશ્રમ ચલાવનારાના પરિચયમાં નહોતો કે જેથી તેમને ત્યાં જવાનું લખી શકું. તેથી મેં તેમને ઍન્ડ્રૂઝને મળી તે કહે તેમ કરવાનું કહ્યું.

તેમને પ્રથમ કાંગડી ગુરુકૂળમાં મૂકવામાં આવ્યા, જ્યાં સદ્ગત શ્રદ્ધાનંદજીએ તેમને પોતાનામ્ બાળકોની જેમ રાખ્યા, ત્યાર પછી તેમને શંતિનિકેતનમામ્ મુકવામાં આવ્યા, ત્યાં કવિવરે અને તેમના સમાજે તેમને એવા જ પ્રેમથી નવરાવ્યા. આ બે જગ્યાએ તેમને મળેલો અનુભવ તેમને સારુ ને મારે સારુ બહુ ઉપયોગી નીવડ્યો.

કવિવર, શ્રદ્ધાનંદજી અને શ્રી સુશીલ રુદ્રને હું ઍન્ડ્રૂઝની ત્રિમૂર્તિ ગણતો. દક્ષિણાઅ ફ્રિકામાં તે આ ત્રણનાં વખાણ કરતામ્ થાકે જ નહીં. અમારા દક્ષિણ આફ્રિકાના સ્નેહસંમેલનનાં ઘણાં સ્મરણોમાં આ તો મારી આંખ આગળ તર્યા જ કરે છે. આ ત્રણ મહાપુરુષોનાં નામ તેમને હૈયે ને હોઠે હોય જ. સુશીલ રુદ્રના સંબંધમાં પણ ઍન્ડ્રૂઝે મારાં બાળકોને મૂકી દીધાં હતાં. રુદ્રની પાસે આશ્રમ નહોતું. પોતાનું ઘર જ હતું. પન તે ઘરનો કબ્જો તેમણે આ મારા કુટુંબને સોંપી દીધો હતો. તેમનાં દીકરાદીકરી તેમની સાથે એક જ દિવસમાં એવાં ભળી ગયામ્ હતાં કે તેમને ફિનિક્સ ભુલાવી દીધું હતું.

હું જ્યરે મુંબઈ બંદરે ઊતર્યો ત્યારે જ મને ખબર પડે કે તે વખતે આ કુટુંબ શાંતિનિકેતનમાં હતું. એટલે ગોખલેને મળી હું ત્યાં જવા અધીરો થયો હતો.

મુંબઈમાં માન મેળવતાં જ મારે એક નાનકડો સત્યાગ્રહ તો કરવો પડ્યો હતો. મિ. પિટીટને ત્યાં મારે સારુ મેળાવડો કરવામાં આવ્યો હતો. તેમાં તો મારી હિઁઅત ગુજરાતીમાં જવાબ દેવાની ન ચાલી. એ મહેલમાં અને આંખને અંજાવે એવા દબદબામાં ગિરમીટિયાઓના સહવાસમાં રહેલો હું મને ગામડિયા જેવો લાગ્યો. આજના મારા પોશાક કરતામ્ તે વખતે પહેરેલું અંગરખું, ફેંટો વગેરે પ્રમાણમં સુધરેલો પોશાક કહેવાય, છતાં હું એ અલંકૃત સમાજમાં નોખો તરી આવતો હતો. પણ જેમ તેમ ત્યાં તો મારું કામ મેં નભાવ્યું ને ફિરોજશા મહેતાની કૂખમાં મેં આશ્રય લીધો.

ગુજરાતી મેળાવડો તો હતો જ. સ્વ ઉત્તમલલ ત્રિવેદીએ આ ગોઠવ્યો હતો. આ મેળાવડા વિષે મેં કેટલીક હકીકત જાણી લીધી હતી. મિ. ઝીણા પણ ગુજરાતી એટલે તેઓ તેમાં હાજર હતા. તે પ્રમુખ હતા કે મુખ્ય બોલનાર એ તો હું ભૂલી ગયો છું. પ્ણ તેમણે પોતાનું ટૂંકુ ને મીઠું ભાષણ અંગ્રેજીમાં કર્યું. બીજા ભાષણોપણ ઘણે ભાગે અંગ્રેજીમાં જ થયાં એવું મને ઝાંખુ સ્મરણ છે. જ્યારે મારો બોલવાનો વારો આવ્યો ત્યારે મેં ઉત્તર્ ગુજરાતીમાં વાળ્યો, ને ગુજરાતીનો તથા હિંદુસ્તાનીનો મારો પક્ષપાત મેં થોડાંજ શબ્દોમાં જાહેર કરી, ગુજરાતીઓની સભામાં અંગ્રેજીના ઉપયોગની સમેનો મરો નમ્ર વિરોધ નોંધાવ્યો. મારા મનમાં આમ કરવા વિષે સંકોચ તો હતો જ. લાંબી મુદ્દતની ગેરહાજરી પછી પરદેશથી વળેલો બિનાનુભવી માણસ ચાલતા પ્રવાહની સામે જાય એમાં અવિવિક તો નહીં હોય એવું મને લાગ્યા કરતું હતું. પન ગુજરાતીમાં ઉત્તર વાલવાની મેં હિમત કરી તેઓ અર્થ કોઈએ અનર્થ ન કર્યો ને સૌ એ મારો વિરોધ સાંખી લીધો એ જોઈ હું રાજી થયો, ને મારા નવા લાગત બીજા વિચારો પ્રજા આગળ મૂકવામાં મને અડચણ નહીં આવે એવો સાર પણ મેં આ સબામાંથી ખેંચ્યો.

આમ મુંબઈ માં બેક દિવસ રહી આરંભિક અનુભવો લઈ હું ગોખલેને આજ્ઞાથી પૂના ગયો.