સર્જક:પ્રેમાનંદ
વિકિસ્રોતથી
ભક્ત કવિ શ્રી પ્રેમાનંદ કૃષ્ણરામ ભટ્ટ (ઉપાધ્યાય) નો જન્મ વડોદરામાં વિક્રમ સંવત આશરે ૧૬૯૨ (ઇસ. ૧૬૩૬)માં થયો હતો અને તેમનું અવસાન આશરે સંવત ૧૭૯૦ (ઇસ. ૧૭૩૪)માં થયું હોવાનું અનુમાન છે. તેજો જન્મે બ્રાહ્મણ હતાં અને તેમની અટક ઉપાધ્યાય હતી. તેઓ ઓખાહરણ, કુંવરબાઇનું મામેરું અને સુદામા ચરિત જેવી તેમની રચનાઓને કારણે ખૂબ પ્રસિદ્ધ છે. તેમણે આખ્યાનો રચીને સાહિત્યને એક નવો આયામા આપ્યો હતો. આપણા ઉત્તમ આખ્યાનકવિ હોવાને કારણે તેઓ 'કવિ-શિરોમણિ' નુ માન પામ્યા છે.