ઢાંચો:રૂપક કૃતિ

વિકિસ્રોતમાંથી

માણસાઈના દીવાઝવેરચંદ મેઘાણીએ ૧૯૪૫માં લખેલું રવિશંકર મહારાજનું જીવનચરિત્ર છે.

લોકસેવાના આજીવન દીક્ષિત એવા પાતળી કાઠીના, અડીખમ, ત્રાંબાવરણા, ટીપીને કોઈ શિલ્પીએ ઘડ્યા હોય એવા સત્પુરુષ શ્રી રવિશંકર મહારાજનું જીવનચરિત્ર ઝવેરચંદ મેઘાણીએ લખ્યું છે. આ કથા સૌ પ્રથમ ઊર્મિ નામના માસિકમાં ટુકડે ટુકડે પ્રગટ થઈ હતી.


વાત્રક નદીનાં ચરાંને કાંઠે કાંઠે ચાલ્યો જતો એ રસ્તો આડે દિવસે પણ રાતનાં ગામતરાં માટે બીકાળો ગણાય. ઉજળિયાત વરણનું ડાહ્યું માણસ એ કેડે રાતવરત નીકળવાની મૂર્ખાઈ કરે નહિ.

બરાબર બાવીશ વર્ષો પૂર્વેની એક અંધારી રાતે એ કેડો વિશેષ બિહામણો બન્યો હતો. એક બાબર દેવાની, બીજી નામદારિયાની અને ત્રીજી ડાહ્યાભાઈ ફોજદારની—એવી ત્રણ લૂંટારુ ટોળીઓ વાત્રકના અને મહીના કાંઠા ખૂંદી રહી હતી. ડાહ્યો બહારવટિયો પોતાને 'ડાયોભાઈ ફોજદાર' કહેવરાવતો.

એવી એક રાતનો ઘાટો અંધાર-પડદો પડી ગયા પછી કપડવંજ તાલુકાના ગામ ભરકડાથી નીકળીને એક બ્રાહ્મણ સરસવણી ગામે જતો હતો. પગપાળો, પગરખાં વિનાનો; એક પોતડીભર અને એક ટોપીભર. ઉંમર હશે ચાલીશેક.

આમ તો એને વહાણું વાયાથી તે રાતે સૂવા-વેળા થતાં લગી મુસાફરી કરવાની રોજિંદી ટેવ હતી, એટલે રોજ માર્ગે મળતાં ખેડૂત-લોકની પાયલાગણી અને પ્રેમભીની વાણી પોતાને પરિચિત હતી. પણ સીમમાંથી ભરકડા ગામ ભણી પાછા વળતાં લોકોનું આ રાતનું વર્તન કંઈક વિચિત્ર હતું.

કદી ન દીઠેલી તેવી કંઈક આકળવીકળતા ભરી ઉતાવળ આ રાતે મરદો-ઓરતો તમામના પગમાં આવી હતી. આડે દા'ડે તો મધ્યાહનના ધખતા ધોમ–ટાણેય જો આ 'મહારાજ' સામા મળે, તો પોતા–માયલા એકાદ જણની પાઘડી ભોંય પર બિછાવીને તે પર એમને ઉભાડી એનાં ચરણોની રજ લેનારાં અને નિરાંતે વાતોના ટૌકા કરનારાં આ લોક આજ રાતે કંઈક વિશેષ ઉતાવળમાં કેમ હશે ? 'પાછા વળો ને!' એવું કહેવામાં પણ કેમ પોતાના સ્વરને તેઓ ધીરો પાડી દેતા હશે ! એમના એ બોલમાં સચિંતપણાની સાથે પાછું કાંઈક દબાઈ જવા જેવું અને ગળું રૂંધાઈ જવા જેવું કેમ હશે ! –એવો પ્રશ્ન મુસાફરના મનમાં આછો આછો આવ્યો તો ખરો; પણ આવ્યા ભેળો તરત પસાર થઈ ગયો. 'હોય; ખેડૂતો છે, ઘેર પહોંચવાનીએ ઉતાવળમાં હશે. ને હું એક વાર ઊપડ્યો છું તે પાછો ન વળું એ તો તેમને સર્વેને જાણીતી વાત છે.'

(આગળ વાંચો...)

અથવા બધી રૂપક કૃતિઓ જોઈ જુઓ.

Template documentation[view] [edit] [history] [purge]


વપરાશ[ફેરફાર કરો]

આ ઢાંચાને એવી રીતે ઘડવામાં આવ્યો છે કે તે આપોઆપ મહિનાવાર તે મહિના માટે નિશ્ચિત કરેલી કૃતિ પસંદ કરી લે. આ ઢાંચામાં ફેરફાર કરવાની આવશ્યકતા નથી. જે કૃતિ દર્શાવવી હોય તે જે-તે મહિનાના દસ્તાવેજ (નીચે દર્શાવેલા છે તે)માં ઉમેરવાની રહેશે અને તે લખાણ આપોઆપ જ મુખપૃષ્ઠ પર જોવા મળશે.

દરેક પાનાંનું મૂળભૂત બંધારણ[ફેરફાર કરો]

''"'''[[**પૃષ્ઠનું નામ**]]'''" 
(**ટૂંકમાં કૃતિની ઓળખ**) [[સર્જક:**નામ**|]]. 
(**સંક્ષિપ્તમાં કૃતિનો સારાંશ**)
''
[[File:**પસંદ કરેલી તસવીરનું નામ**.jpg|150px|right]] <!--80px if portrait-->
<div style="margin-left: 2em; font-size: 0.88em;">
(**કૃતિની શરૂઆત થતી હોય તે લખાણની અમુક લીટીઓ**)
</div>
:('''[[**પૃષ્ઠનું નામ**|આગળ વાંચો...]]'''

See also[ફેરફાર કરો]