દીનાનાથની ઢાળો/ઢાળ ૯મી

વિકિસ્રોતમાંથી
← ઢાળ ૮મી દીનાનાથની ઢાળો
ઢાળ ૯મી
કેશવલાલ ભટ્ટ
ઢાળ ૧૦મી →


ઢાળ નવમી

પ્રભુના ભજન વિના બંધન તારૂં, ટળવું નથી રે;
માનવ તન ખોયું તો તે, પાછું મળવું નથી રે. એ ટેક.

ધનજન યોવન કેરા વળમાં, છટકી છંડાયો જો છળમાં;
તો બળમાં અજ્ઞાન કદી બળવું નથી રે. પ્રભુ૦

ધ્યાન સદા વિષયોનું ધરતા, દાન પુણ્યનો પંથ વિસરતા;
ખોટી ખટપટ કરતાં, સુખ વળવું નથી રે. પ્રભુ૦

ભવસાગર તરવાનું બારૂં, હરિના શરણ થકી શું સારૂં;
મારૂં તારૂં પ્રાણ કશું, પળતું નથી રે. પ્રભુ૦

કાળ ફરે છે નિશદિન માથે, જાગીને જો હિત છે હાથે;
કેશવ હરિજન સાથે, શું હળવું નથી રે. પ્રભુ૦