લખાણ પર જાઓ

દ્વિરેફની વાતો – ભાગ બીજો/મેહફિલે ફેસાનેગુયાન : સભા ચોથી

વિકિસ્રોતમાંથી
← કોદર દ્વિરેફની વાતો – ભાગ બીજો
મેહફિલે ફેસાનેગુયાન : સભા ચોથી
રામનારાયણ પાઠક
બે મિત્રોની વાર્તા →







મેહફિલે ફેસાનેગુયાન ઉર્ફે વાર્તાવિનોદમંડળ

સભા ચોથી[]

“મેં કહ્યું : કેમ ધીરુબહેન મને એકદમ બોલાવ્યો.

ધીરુબહેન : પ્રમીલાબહેને એમની પાસેથી ‘બે મિત્રોની વાર્તા’ મેળવી છે તે હવે જલદી મેહફિલ ભરીને વંચાવી નાંખવા માટે.

મેં કહ્યું : પણ તેમાં ઉતાવળ શી આટલી બધી ?

પ્રમીલા : અરે બે વાર લખીને એ રદ કરી ત્રીજી વાર લખવા જતા હતા ! મેં ઝૂંટવી લીધી ન હોત તો એ એમને એમ લખ્યા જ કરત અને એ મિત્રોની વાર્તા આપણને કદી મળત જ નહિ.

મેં કહ્યું : એ તમે ઠીક કહ્યું બહેન ! એમની વાર્તા વાંચ્યા પણ પહેલાં એટલી ટીકા તો અત્યારે જ કરી લઉં, કે એ વાર્તાનું સ્વરૂપ તેના વક્તવ્યને અનુકૂળ હજી કલાકાર ઘડી શક્યો નથી.

ધનુભાઈ : એમ કહેશો ત્યારે જોઈ લેવાશે. અને સ્વરૂપ બદલાવીને મારે બગાડવું જ હોય એમ કેમ ન બને ?

મેં કહ્યું : એક વાર વાંચો પછી જોઈ લેવાશે કે એવો બચાવ કેવોક ચાલે છે.

ધનુભાઈ : ભલે ત્યારે, અને હું વાંચું તે દરમિયાન પણ કોઈ બોલે નહિ.

ધીરુબહેન : ભલે ! ચાલો વાંચો.

ધનુભાઈએ વાર્તા વાંચવી શરૂ કરી.


  1. આ ચોથી સભાને મેહફિલની પહેલી સભામાં કહેલી ‘વારતા’ અને તે ઉપર ચાલેલી ચર્ચા સાથે નિકટ સંબંધ છે. પૃ. ૯૮ થી ૧૦૭