પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૧૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

. . ' ૧૦૪ આત્માના આલાપ તમિળનાડુ રાજ્ય અધિવેશનમાં પ્રહદીશ્વરન આવશે એમ રાજારામન માનતા હતા. પરંતુ તે આવ્યા નહોતા. “કેમ આવ્યા નહેતા ” એ અંગે તેમને પત્ર પણ ન આવતાં તેને તેમને બીજે પત્ર લખવાને વિચાર આવ્યો. અધિવેશન અત્યંત ભવ્ય રીતે પતી ગયાનું, તેઓ ન આવવાથી પોતાને દુઃખ થયાનું, વિગતવાર પત્રમાં જણાવ્યું. એ વખતે દેઢ થયે. એક અઠવાડિયાથી નહિ લખેલી ડાયરી યાદ કરીને લખી. બપોરનું ભોજન લીધા પછી તેને છેડે સમય પુસ્તકો વાંચનમાં ગાળે. ત્યારપછી તે મેલુર જવા નીકળ્યા. રસ્તામાં પહેલાં તિરુવાદપુરમ જઈ ગણોતિયાને મળવું અને પછી મેલૂર જવાને તેણે વિચાર કર્યો. કદાચ જે તિરુવાદપુરમમાં મોડું થાય તે રાત મેલૂરમાં રહી શકાય, આ તેની ગણતરી હતી. ધાર્યા કરતાં તિરુવાદપુરમમાં વધુ સમય રોકાવું પડયું. વાતચીત દરમિયાન ગણેતિયાએ એક વાત રાજારામનને કરી. - “વલાલપટ્ટને એક ભાઈએ તમારી આ જમીન અને મેલૂરનું ઘર વેચવાને તમારે વિચાર છે કે કેમ પુછાવ્યું છે. તમારે એક પગ જેલમાં અને એક પગ બહાર એવી સ્થિતિ છે. મોટાં બા હતાં ત્યારે જુદી વાત હતી. હવે તમે આ બધું સંભાળી શકશે ?' - મેર જવા નીકળે ત્યારે રાજારામનના મનમાં પણ આ કાંઈ આછોપાતળા વિચાર તે હતો. અત્યારે ગણોતિયાએ એ વાત કરી ત્યારે તેણે ગતિયાને પૂછયું, “ જમીન અને ઘર બંને રાખવા છે ? એ ભાઈ એની શી કિંમત આંકે છે?” એ મેં પૂછવું નથી. જો તમે કહેતા હે તે રીતે તેમને મળું.. બે દિવસ તેઓ મેલૂર જ રેકાવાના છે.' - ગણેતિયાને સાથે જ લઈને રાજારામન તિવાદપુરમથી મેલુર જવા નીકળે. એ રાતે વલાલપટ્ટીના એ ભાઈ રાજારામનને મળવા