પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૧૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આમાના આલાપ ૧૨૫ પૂછે તે તેમનાં કરતાં પણ વધુ લાડકોડથી ઉછેરી હતી, એ વાત તેના મોંએ સાંભળીને, તેઓ જસ્ટીશ પાર્ટીના સભ્ય હતા એ વાત તે વીસરી ગયે; પણ તે એક મહાનુભાવ હતા એ ખ્યાલ આવતાં રાજારામનના મનને શાંતિ મળી. સ્ત્રી એ એક ભોગની વસ્તુ છે, એ વિચાર ન કરતાં – તેની સાથે પત્ની જે વ્યવહારુ દાખવ્યો અને તેની દીકરીને ભાવપૂર્વક ઉછેરી એથી રાજારામનની નજરે જમીનદાર માનવતાવાદી જણાયા. સમાજથી ડરીને ધનભાગ્યમ સાથેનો આ ગુપ્ત સંબંધ રાખ્યો હોવા છતાં મેટાઈના મેભાને પડદો ઢાંક્યા વગર જે કાર્ય કરવું હતું એ મહાન કાર્ય તેઓ કરી ચૂક્યા હતા, એ હકીકત તેને સ્પષ્ટ સમજાઈ ગઈ. &

” રાજારામનના છૂટીને આવ્યા પછી રાષ્ટ્રીય તિળક વાંચનાલયના મિત્રો ખાદી પ્રચારના કામમાં ડૂબી ગયા. શેરીએ શેરીએ અને ગામડે ગામડે ભારતીયારનાં ગીત ગુંજી ઊઠયાં. ખાદી વેચાણનું કાર્ય ઝડપી બન્યું. વદેમાતરમનું ગીત બધે ગવાયું. બધે રેટિયે કાંતનારાઓની સંખ્યા વધી ગઈ. બરાબર આ સમયે જેઈને નેતાઓને જેલમાં પૂરી ઘાલવા માટે આ કેસ ઊભું કરવામાં આવ્યો છે, એવું રાજારામન અને મિત્રોને લાગ્યું. વિરદુપટ્ટો પોસ્ટ ઓફિસ અને શ્રીવિલી,ભુરની ગેટ પર હાથબમ્બ નાખીને તે ઉડાવી દેવાનું કાવતરું રચવાને ખોટો આરોપ કામ રાજ નાડાર, કે. અરુણાયમ, કેએસ. મુસામી આસારી, મીશન સૂર નારાયણસામી વગેરે પર મૂકીને રામનાથપુરમની પોલીસે બનાવિટી કેસ કર્યો. આ બનાવટી બેટા કેસમાં વકીલ જે જોસફ અને તેમના સહવકીલેની મદદથી રાજારામન અને તેના મિત્રોએ રાતદિવસ, ભૂખ્યા અને તરસ્યા રહી જહેમત ઉઠાવીને સરકારને નામોશીભરી હાર આપી. '... ' ,