પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૧૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧૩૨ આત્માના આલાપ સભા થઈ. મદુરથી અમરાવતી દૂર સુધી રાજારામન મહાત્માજી સાથે ગયા. ત્યાંથી પુદકેટૅથી પ્રહદીશ્વરન પણ આવ્યા. બંનેએ મહાત્મા ગાંધીના હરિજન ફાળામાં ફાળો આપે. એ વિસ્તારમાં આવેલાં ઓળવંદાન, નિલકો, વત્તલકુર્કમ, પેરિયકુળમ, ઉત્તમપાળેયમ વગેરે ગામોમાં રાષ્ટ્રિય કાર્યો માટે રાજા રામન અને મિત્ર કેટલાક મહિના કર્યો. પરિયકુળમ, વલકુશ્કેમમાં દેશપ્રેમની લાગણી વધુ જોવા મળી. સ્થાનિક કાર્યકરોએ ત્યાં સારું એવું ઉત્સાહને વાતાવરણ સર્યું હતું. હરિજનના મંદિર પ્રવેશ માટે પ્રયત્ન કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં એક વરસ વીતી ગયું. મદુરને ઘરમાં વીણને સંગીત . વર્ગ શરૂ કર્યો. વચ્ચે વચ્ચે સંગીતની મહેફીલમાં પણ તે જતી. બાપુજીના મરણ પછી થોડા જ દિવસે માં નાગમંગલમ ઘર સાથેનો સંબંધ ખલાસ થઈ ગયે. બને પરિવાર વચ્ચે આવવાજવાને સંબંધ પણ રહ્યો નહિ, જમીનદારના પરિવારને આમની સાથે સંબંધ જારી રાખવામાં નાનમ લાગતી હતી. ઉપરાંત જમીનદારે વીલમાં મદુરમને થેડી જમીન આપવાનું લખ્યું હતું, એથી પણ તેમના મનદુઃખમાં વધારે થયે. - સારા પરિવારની સ્ત્રીઓ એક નબરની શેરીમાં સંગીત શીખવા માટે આવતાં અચકાતી હતી. છતાં શીખવા માટે જે સ્ત્રીઓ આવતી તેમને મદુરામ વીણું શીખવતી. આમ શીખવા આવનાર સ્ત્રીઓને તે ગાંધી અને રેટિયો કાંતવા વિશે પણ વાત કરતી. કેટલીક સ્ત્રીઓ આ વાત એક કાનેથી સાંભળીને બીજા કાને કાઢી નાખતી. પણ ઘણું સ્ત્રીઓ પર આ વાતની અસર પડી. - રાજારામન કેંગ્રેસના કાર્યમાં ઉત્સાહભેર જોડાયો. મદુરમે પિતાના પ્રત્યે દાખવેલ પ્રેમ અને શ્રદ્ધાનો સ્વીકાર કરીને તેને પોતે પણ દેશના ઉત્કર્ષના કાર્યમાં લગની અને શ્રદ્ધા દાખવ્યાં. જેની ભક્તિ કરવામાં આવે છે તેઓ જ વધુ શ્રદ્ધાથી ભક્તિ કરી શકે છે, | |