પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૧૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આત્માના આલાપ ૧૩૭ “આ સ્થળે એક નાલંદા વિદ્યાપીઠ ઊભી કરવી જોઈએ” – અવારનવાર પ્રશંસા કરતાં તેઓ કહેતા. “મારી માને પૂછવાની જરૂર નથી ! તે પથારીવશ છે. તે જીવે છે, એટલે પ્રભુને આભાર. તમારી પસંદગી આ સ્થળ પર ઊતરી છે તે હું દસ્તાવેજ કરી આપી તમને આપીશ” – મદુરમ ઉત્સાહ પૂર્વક કહેતી. પરંતુ પ્રહદીશ્વરને એમ કરતાં સંકેચ પામતા હતા. આ દરમિયાન એક દિવસે ધનભાગ્યમે પ્રહદીશ્વરનને બેલાવીને કહ્યું. સની રત્નલ પણ તે વખતે સાથે હતા. - મંગમાએ બધી વાત કરી છે. હું મરણ પામે તે પહેલાં વાંચનાલયના પેલા રાજારામનના હાથમાં મહુરમને સેંપી દેવી છે. લગ્ન માટે હું આગ્રહ કરતી નથી. મારી દીકરીની સંભાળ રાખજે, ભાઈ.” - ધનભાગ્યમ મને બોલાવીને શા માટે આ વાત કરે છે, પહેલાં તો પ્રહદીશ્વરને મૂંઝાયા, - “ભાઈની સાથે રહેનારાઓમાં તમે જ મેટા છે એથી જ મેટાં મા તમને બોલાવીને આ વાત કરે છે. લગાડશે નહિ, ભાઈ' – સોનીએ ખુલાસે કર્યો. એ જ ઘડીએ “આ લગ્ન તે હું પતાવી આપીશ, પણ આના બદલામાં તમારે એક ઉપકાર કરવો પડશે, મેટાં મા !” હસતાં હસતાં વાડીની વાત પ્રહદીશ્વરને કરી. ધનભાગ્યમના ગૌરવપૂર્ણ જવાબે તેમને આશ્ચર્યમાં ગરકાવ કરી નાખ્યા. - “ખુશીથી લેજે. રાજીખુશીથી દસ્તાવેજ કરી આપવાનું કહીશ ધનભાગ્યમે કહ્યું. રાજારામને લીધેલી પ્રતિજ્ઞાની વાત પણ પ્રહદી શ્વરને કરી. એ માટે પણ તે સંમત થઈ. ધનભાગ્યમને ક્યા શબ્દોમાં આભાર માને એ પ્રહદીશ્વરનને સમજાયું નહિ. .