પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૧૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આત્માના આલાપ ૧૯૧ 1 2 સંખ્યામાં હતાં. આ બધાં પુસ્તકોનો તેણે ઊંડે અભ્યાસ કર્યો. એક સપ્તાહ પસાર થઈ ગયું. રાજારામનને માટે આશ્રમમાં જ વણેલા ખાદીની છેતી અને અંગુછ તથા ગુરુસામીએ સીવેલાં પહેરણુ આપીને એક માણસને પ્રહદીશ્વરને મોકલ્યા. રાજારામને તે લીધાં અને પિતે કાંતેલી સૂતરની આંટીઓ તેની સાથે મોકલાવી. ફુરસદના સમયમાં તેણે લખવાની રહી ગયેલી ડાયરી લખવી શરૂ કરી દીધી. એક દિવસ સાંજે તે મધુરમ સાથે વાત કરતો હતો ત્યારે મદુરામે તેને એક વિચિત્ર વિનંતી કરી. તમે આ દાઢીમૂછ કઢાવી નાખે. હવે આ દાઢીમૂછ શા માટે? જેલમાંથી તે તમે આવી ગયા છે. હજી પણ સાધુ બનીને ફરવું છે કે શું ?” “એમ હોય તે પણ શું વાંધો છે? સાધુ જ છું, એમ માની લેજે. દેશની ખાતર મારા જેવા કેટલાય સાધુ બન્યા છે.” એ તે ઠીક ! પણ હજી હું એક છું !' “છું એટલે..?” હઈશ ત્યાં સુધી તમે સાધુ નહિ બની શકો...એ માટે હું રજુ નહિ આપું...” કહીને રાજારામનને નિહાળી રહેલી તેની દૃષ્ટિ શરમથી ઝૂકી ગઈ. “ અત્યારે તારે શું કહેવું છે, મદુરમ? હું દાઢીમૂછ મૂંડાવી નાખું એ જ ને ?” મને તમારે પહેલાં ચહેરે જોવાની લાલસા છે...' “પણ તારું પહેલાંનું વદન, પહેલાંનાં નેત્રે, પહેલાંનાં અધરનું માધુર્ય જોવા માટે આતુર છું ! એ માટે મારે હવે શું છે કરવું ?' – આ પૂછવાને રાજારામને વિચાર કર્યો. પરંતુ જે હું આ પૂછીશ તે તેનું મન દુઃખી થશે, એ વિચાર આવતાં તેણે પૂછયું નહિ છતાં મધુરમની ઇચ્છા તેણે પરિપૂર્ણ કરી. બીજે દિવસે દાઢીમૂછ.