પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૨૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૨૨ આત્માના આલાપ કાલે આ દેશમાં હશે કે કેમ એ તે ભવિષ્ય જ કહેશે '–પ્રહદીશ્વરને કહ્યું , જેનામાં સેવક બનવાની ભાવના હશે તે જ નેતા બની શકશે. મહાત્મા ગાંધીજી આ ગુણથી પરિપૂર્ણ છે. દક્ષિણ આફ્રિકામાં હતા ત્યારે તે મહામુનિએ આ માટે પિતાની જાત ઘડી હતી..” મુક્તિ લપને કહ્યું. ગુસામી આ બધી ચર્ચા શાંતિથી સાંભળી રહ્યો હતે. પક્ષના રાજકારણમાંથી ધીરે ધીરે અલિપ્ત થઈને તેઓ આશ્રમમાં વિશાળ કાર્ય કરવા તત્પર થયા હતા. પિતાના શ્વાસ સાથે વણાઈ ગયેલી મદુરમના મૃત્યુને ભૂલવા માટે રાજારામન સખત પરિશ્રમ કરતો હતે. ભૂલવા માટે ઘરે ઘણો પરિશ્રમ કરવા છતાં કેક સમયે એ દુઃખ ઊભરાઈ આવીને તેને કોરી ખાતું હતું, વેદનાભરી મનની સ્થિતિમાં, તેના ખંડમાં રાખવામાં આવેલી એ વીણાની સામે અનિમેષ નજરે, પાગલની જેમ, સમ્યની પણ દર. કાર કર્યા વગર બેસી રહેવાની તેને લગની લાગી હતી. આવા સમયે જડ વણું પણ તેની સાથે વાત કરે છે, ગાય છે, આત્મા જ સમજી શકે એ રીતે આત્માના રાગ અને અનુરાગ, તાપ અને શિથિલતાની વાતો કરે છે. આ ભ્રમ છે કે સત્ય છે, અને તે વિચાર કરે છે ત્યારે તે વીણુને નાદ તેના કર્ણને ભરી દે છે. બંગડી પહેરેલા હાથીદાંત જેવા હાથ તારને ઝણઝણાવીને કર્ણપ્રિય મધુર સંગીત રિલાવે છે. કેટલીક વખત એ વીણને બદલે મધુરમ જ નવું રૂપ ધારણ કરીને સૂતી હોય એવો ભાસ થતાં તેનું મન વ્યાકુળ થઈ જાય છે. પ્રહદીશ્વરન અને મિત્ર પણ તેની વેદના જોઈને વ્યથિત થતા હતા. કાળ જ ધીરે ધીરે તેના મનના ઘાને રૂઝવશે એવી આશા સેવે છે. ... જ . . . . . મારા માતા ના છીએ. છે, ' . ' , ' . ' ' . . . . . . . . . . . '; 'A: ': , ' . :