પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૨૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૨ ૧૮ અમાના આલાપ આવ્યું. દેશ અંગેની તેમને થતી ચિતાને ઉલ્લેખ તેમણે તેમના ભાષણમાં વ્યક્ત કર્યો. મહાત્મા ગાંધી પછી સત્ય અને અહિંસામાં શ્રદ્ધા ધરાવનાર એક સેવાભાવી આચાર્ય વિનોબા ભાવે સિવાય બીજા ભાગ્યે જ હશે, આત્મશ્રદ્ધા ધરાવનારાઓની પેઢી ચાલી ગઈ છે, એવી ચિંતા તે કરતા હતા એ સમયે વિનોબા ભાવેએ સર્વોદય સેવા સંધ આશ્રય હેઠળ ભૂમિદાનની પ્રવૃત્તિ આરંભી છે” એ સાંભળીને તેમણે અત્યંત આનંદ વ્યક્ત કર્યો. રાષ્ટ્રિય મહાયજ્ઞના મુનિવરની છેલ્લી કુંપળ સરીખા વિનોબા ભાવે તેમને જણાયા. T ગાંધીરામને ફરી ઓગણીસો એકસઠમાં ગાંધીવાદના પ્રચાર માટે અને સદ્ભાવનાના ફેલાવા માટે લંકા, દક્ષિણ એશિયાના દેશે, બર્મા અને ઓસ્ટ્રેલિયાને ત્રણ મહિના પ્રવાસ ખેડ્યો. એ પ્રવાસ પૂરે થયે ત્યારે તેમણે સાઠ વરસ થયાં. તેમની ષષ્ટિપૂતિ ઉત્સવ ઉજવવાને પ્રસ્તાવ આવે. એ વખતની દેશની પરિસ્થિતિને કારણે તેમની ષષ્ટિપૂર્તિ ઉજવાય કે હારતળા થાય, એ તેઓ ઈચ્છતા ન હતા. તેમણે ના પાડવા છતાં તેમના મિત્રે, તેમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને અનુયાયીઓએ એકત્ર થઈને ધામધૂમથી મદ્રાસમાં ઊજજે. બીજે મહિને આશ્રમમાં તેઓ પાછા આવ્યા ત્યારે, શરૂઆતથી જ તેમની સાથે આશ્રમમાં જોડાયેલા અને આશ્રમમાં રહીને સેવા કાર્ય આપી રહેલા મુતિરુલપન અને ગુરુસામીને બિરદાવવા, તેમણે સન્માનસમારંભ યે. એ સન્માન સમારંભમાં ગાંધી રામને તેમની મુક્તક ઠે પ્રશંસા કરી. આશ્રમના પ્રાર્થનાખંડનું “ પ્રહદીશ્વરને પ્રાર્થના ખંડ” નામાભિધાન કરવામાં આવ્યું. એક મધુરમની યાદ તેમણે તેમના હૃદયમાં જ સંઘરી રાખી. ,

:

- બીજા વરસની શરૂઆતમાં જ તેઓ ઘણા સમયથી લખી રહેલા માય કન્ટ્રી – પાસ્ટ એન્ડ પ્રેઝન્ટ” પુસ્તકના બે ભાગનું પ્રકાશન થયું.