આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રેમ. — લિંકન ઍન રટલેજના પ્રેમમાં પડ્યા હતા. પણ તેમનું લગ્ન થાય તે પહેલાં થોડા જ સમય અગાઉ ઍનનું અવસાન થયું. લિંકન ભગ્નહૃદય બની ગયા. પોતાનું દુ:ખ સંતાડવા તેઓ કામમાં અને બીજાઓની સેવામાં વધુ મગ્ન થઈ ગયા. થોડાં વર્ષ પછી લિંકન વકીલાતમાં હજી પગભર થવાની કોશિષ કરતા હતા ત્યારે તેઓ મેરી ટૉડને મળ્યા. ૧૮૪૩માં બને પરણ્યાં. લિંકનના મિત્રો તેમને સંસદની ચૂંટણીમાં ઊભા રાખવા ઈચ્છતા હતા. |