આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
હેતુઓ. — લિંકનના જીવનમાં હવે બે હેતુઓ હતા – વિભક્ત દેશને એક કરવો અને ગુલામોને મુક્ત કરવા. એક માનવતાવાદી તરીકેનું અને સંઘદળોના સરસેનાપતિ તરીકેનું તેમનું કામ કટુતાભરી ટીકાઓથી વધુ ગૂંચવાડાભર્યું બનતું. લિંકન શાંતિ માટે ઊંંડા દિલથી પ્રાર્થના કરતા. તેઓ પોતાના હેતુને દૃઢતાથી વળગી રહ્યા. અને પછી યુદ્ધે સંઘદળોની તરફેણમાં વળાંક લીધો. |