આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગેટિઝબર્ગ. — ૧૮૬૩ માં લિંકને એક ઇતિહાસપ્રસિદ્ધ થવા નિર્માયેલું પ્રવચન કર્યું. ગેટિઝબર્ગ ખાતે એક લશ્કરી કબ્રસ્તાનનું ઉદ્ઘાટન કરતાં તેમણે લોકશાહીના આદર્શને ઉત્તમ રીતે વ્યક્ત કરતા શબ્દો ઉચ્ચાર્યા : “... લોકોની, લોકો વડે ચાલતી, લોકો માટે ચાલતી સરકાર આ પૃથ્વી પરથી નાશ નહિ પામે. ” |