લખાણ પર જાઓ

પૃષ્ઠ:Akashdeep by Dhumketu.pdf/૧૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૧૫૬
મારા પોતાને માટે
 

મારા પોતાને માટે ગયો હતો એ એના જૂના મિત્ર હતો. માંદગીમાંથી પાછો આવ્યો હતો. એટલે એ નાચતા નાચતા જ બોલ્યો: ‘ ગાંડા ગણશે એમ ના ? ’ ‘ માંડી ! પણ બધું જ હદમાં સારું લાગે ! ’ ‘ અમે માંડ્યાં હો ! અમે ગાંડાં રે... ? ’ ટહુકાં બોલવા લાગ્યો. મજૂરમંડળ ધીમે ધીમે દૂર-દૂર ચાલ્યું ગયું. પણ રાધવના છેલ્લા શબ્દોએ પેલા ગરીબ નવલકથાકારના ચહેરા પર હાસ્યની છાની રેખા પ્રગટાવી દીધી. દૂર ચકલાં બોલ્યાં, સીમમાં—જંગલમાં ચારે તરફ ધીમે ધીમે શાંતિ જામવા માંડી. તે તરત જ ઊભા થયા. બે હાથે તાલી પાડી. એનું વિચારજીવન બદલાયું હોય તેમ લાગ્યું. તે એકદમ મોટેથી બોલ્યો: ‘ મારે આજથી નવું પર્વ ! ... ’ શાનું પર્વ હતું એની એને એકને જ જાણ હતી. અત્યારે તો એ ઝપાટાબંધ શહેર ભણી ચાલવા માંડ્યો. ગરીબ નવલકથાકાર ! ( ૨ ) જેને મન બેદરકારી ખાનદાની હોય, તેવા મનુષ્ય દિવસનાં પાંચ કલાકમાં કરે છે. બેદરકારી જેનો સ્વભાવ હોય તેવાં મનુષ્ય કોઈ એક કામ ઉપર ટકી શકતાં નથી. અમરનાથ એવા પ્રથમ વર્ગના બેદરકાર ખાનદાન. એને કોઈની દરકાર ન હતી. પોતાના તાનમાં પોતે મસ્ત હતા. એકલા હતા. એકલા રહેતા. થોડા વખત માયાળુ મિત્રો મળેલા, પણ અમરનાથ રહ્યા ગામડાના. ગેરસમજના ઢોળ નીચે એમની માયા