હતી ! ખીરે દિવસે સવારે હું ઊઠ્યો ત્યારે મારા કાકાને મેં મારી સામે ઉભેલા જોયા. મે નિશ્ચય કર્યો હતા કે કાકાને આ સંબંધે હવે કાંઈ કહેવું નહિ. પણ ડોસો એવો વિચક્ષણ હતેા કે મારો વિચાર તે એક ઘડીમાં કળી ગયો.
'તારુ· ધ્યાન પેલી પેટીમાં ચોટ્યું છે તે હું જાણું છું.' એણે મને કહ્યું: ‘પણ શિવાજીની લૂંટમાં જે વસ્તુ ગઈ તે જીવના જોખમે પણ તને પાછી નહિ મળે! '
'કાકા! ' મેં જુસ્સાથી કહ્યુંઃ ‘ એ પેટી હું પાછી લેવાનો !'
'શી રીતે ? શિવાજીનું નામ તેં સાંભળ્યું છે ?*[૧] સ્મિથને પૂછી જોયું છે કે શિવાજીના તખ઼ુમાં કેમ જઈ શકાય છે ? અને ખીજા બે જણાને રાખ્યા'તા ડુંગરી કિલ્લામાં, એમને પૂછ્યું છે શું દંડ દેવો પડ્યો તો ? ડૉ. ફ્રાયરને પૂછી જો–કેટલી વીશે સો થાય છે !'
‘કાકા! પણ હું તેા ગમે તેમ કરીને તે પેટી લાવવાનો.’
મારા કાકાએ કાંઈ જવાબ વાળ્યો નહિ. તે તપી ગયા. આનું ભવિષ્ય સારું નથી એટલું કહી જતા રહ્યા. ઘડીક
- ↑ *મી. એન્થની સ્મિથને ત્રણ દિવસ સુધી કેદમાં રાખવામાં આવ્યા હતા. ૧૯૬૪માં શિવાજીએ પહેલી લૂંટ કરી ત્યારે બીજા કેદીએ સાથે સ્મિથ પણ હતા. જ્યારે તેનેા જમણો હાથ કાપવાનો હૂકમ થયો ત્યારે તેણે હિંદુસ્થાનીમાં બૂમ પાડી કે હાથને ખૂલે મારુ માથું કાપી લ્યો. છેવટે એને બચાવવામાં આવ્યો. પછી શિવાજીએ તેને દૂત તરીકે અગ્રેજો પાસે મેાકલ્યો, પણ પ્રેસીડન્ટ ઓકસન્ડને તેને રોકી પાડ્ચો. શિવાજીને વખત ન હતો, એટલે તેણે કાંઇ પગલાં લીધાં નહિ.