આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
કડવું ૬ ઠું - માયાથી જીવને સંસારબંધન
રાગ ધન્યાશ્રી
પૂર્વછાયા
ફ્રે ફેરા બહ ભવવિષે, વિષયનો તાણ્યો [૪] વહે;
પ્રત્યક્ષ ભોગ દેખે ભલા, વળી પંડિતને પોષતો રહે; ૧
કર્મનાં ફલ લખે માયા, વળી માયા બેઠી તે કથે;
શબ્દકેરે બાંધણે [૫] ભાઇ, બાંધી જીવ રાખે જથે [૬]. ૨
અંતરમાંથી મનરૂપેં, સકલ્પ-વિકલ્પ સુત[૭] જણે;
નિમેષ [૮] નવા નવા, જ્યમ ઇંદ્રજાળ [૯]-ગુટિકા ગણે. ૩
કર્મ-ફલ ને જીવ-કેરો, જોગ [૧૦] માયા મેળાવે;
વિષય-તૃષ્ણામાંહે મૂકી, એમ જંતુને ભેળવે.[૧૧] ૪
સ્વર્ગ-ભોગ દેખાડે, વળી બીક દેખાડે નર્કની;
તે કામનાઓ લાગ્યો ફરે, ભાઇ ગતિ જેવી કૂપચક્રની[૧૨]. ૫
કામ ધામ ને ધન દારા [૧૩], માત પિતા સુત બાંધવા;
વર્ણ વેષ ને રૂપ મુદ્રા, નમણ ઠમણ દેવ વંદવા. ૬
ચાક્ય ચાતુરી ચૌદ વિદ્યા, અવિદ્યા સર્વ સાધના[૧૪];
પંડિત કવિને ગુણિ જાણ દાતા, સર્વ માયાકેરિ આરાધના. ૭