તડફડે તલપે અતિઘણૂં, વિરહ-સૂરજ શિર તપે;
સંસારરુપી ભૂમિ તાતી[૧], નીર નીર અહોનિશ [૨] જપે. ૨
કાલશિંચાણો શિર ભમે, તે તેહની દૃષ્ટેં [૩] પડે;
નીર-વોહોણૂં [૪] વપુ દાઝે,ઝાળ લાગે ને તડઅડે. ૩
નયણેં તે નીર દેખે નહીં, કળકળે કાળજ[૫] બળે;
પેટ પૂંઠે પાસુ[૬] વાળે, જેમ પડે તેમ દાઝે જળેં. ૪
કામધેનુના પયવિષે[૭], જો કોઇ મૂકે તેહનેં;
તોયે આપદા નટલી મકરનેં[૮], વારી વહાલું જેહને. ૫
વૈરાગ ઘણ[૯] ઉપરનો શરીરે, તેણે કાલજ કોર્યું માંહેથી,
વ્રેહેતણો તાપ તપે તનમાં, તે નર જીવે ક્યાંહેથી ૬
નાનાવિધનાં ભક્ષ ભોજન, તેને દીઠાં નવ ગમે;
સંસારરૂપી ભૂખ ભાગી; ઉભા તાતાં તન ભમે. ૭
નિર્વેદ[૧૦] ઉપનો નરવિષે, તે જીવપણે જીવે નહીં;
તે મરી જીવે મનવડે, જેમ કીટ ભમરી હોયે સહી. ૮
જેમ ઉધઇ ખાતે કષ્ઠને, તેનું કૃષ્ણાગર[૧૧] થૈ પરવરે;
તેમ વિરહ વૈરાગ્ય જેહનેં ભખે, તે નર હરિ થાએ સરે. ૯
કહે અખો સહુકો સુણો, નિર્વેદ ટાળે જંતને;
જે નરને ઉપજે ચેતના[૧૨], તે સેવે હરિ-ગુરુ-સંતને. ૧૦
પૃષ્ઠ:Akhegita.pdf/૧૫
દેખાવ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે