આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
કડવું ૧૩ મું - જીવન્મુક્તની દશા - ૧
થયું જેમ તેમ હુતું આગે, જાણણહારો [૩] જાણિયો;
જે ૐકારની આદ્ય [૪] હતો, વળી વેદ પુરાણે વખાણિયો. ૧
ક્યારે દેખે ધ્યેય [૫] ને ધ્યાતા [૬], ક્યારે ધ્યેય રહેને ધ્યાતા ટલે;
તટ્સ્થ ઉપનું જ્ઞાન જેહને, એમ સુરત [૭] ચલે વલે. ૨
ક્યારે ઇંદ્રિ-આરામ [૮] વસ્તે, ક્યારે [૯] વર્તવોણી સુર્ત્ય [૧૦] છે;
તટસ્થકેરું [૧૧] એજ લક્ષણ, જ્ઞાનકેરી તે મૂર્ત્ય [૧૨] છે. ૩