પૃષ્ઠ:Akhegita.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કહે અખો સહુને વિષે,માન હોય મહંતને[૧];
એ ઉત્કૃષ્ટદશાને તેજ પામે, જે સેવે હરિ-ગુરુ-સંતને. ૧૦


કડવું ૧૬ મું - જીવન્મુકતનો મહિમા - ૨

રાગ ધન્યાશ્રી

વળી કહું તત્ત્વદર્શી પુરુષજી, સેહેજ સ્વભાવે જેવા ક્લ્પવૃક્ષજી;
જેહને અહંતા ગયો [૨]અમર્ષજી, [૩] કલ્પાંતકાળે સદા સન્મુખજી.

પૂર્વછાયા

સન્મુખ રહે કલ્પાંતકાળે, મહાપુરુષ મોટી દશા;
તે અન્ય દેહની પરે જાણે, જે માંહે પોતે વશ્યા. ૧

પોતાનો દેહ આદ્ય દેઈને, મોથ્યા દેખે સર્વને;
ચૈતન્ય તો સઘળેજ સરખું, તો કોણ ધરે દેહગર્વને[૪]

કીટ પતંગ બ્રહ્માલગે, પૂરણ દેખે આતમા;
દૃષ્ટતત્ત્વ[૫] ઉપનું જ્ઞાન જેહને, તે ભૂલા ન પડે ભાંત્યમાં[૬]; 3

જન્મઅંધ જેમ રૂપને, જાણે નહિ નિરધાર;
અધાસ[૭] નહિ તેહને દેહવિષે, સુણે શબ્દના ભણકાર[૮]. ૪

તેમ જ્ઞાતાને પિંડજ નહિ, નહિ ત્યાં પરને આપ;
દેહદર્શી[૯] જે હોય ભાઇ, તેહને તો પુન્ય ને પાપ. ૫

જેમ અંજનવિદ્યા[૧૦] હોય જે કને, તે જ્યાં ત્યાં દેખે ધન;
વિદ્યાવિના ઘર- મધ્ય દાટ્યું, ન જાણે કો જન. ૬

ધનદર્શી જેમ ધન દેખે, પણ મધ્ય ન દેખે ભોમ્ય;


  1. મહાત્માને
  2. ઇર્ષ્યા.
  3. બ્રહ્માના દિવસના અંતસમયમાં.
  4. શરીરના અભિમાનને.
  5. આત્મતત્ત્વનું ૫ નામ્રૂપમાં
  6. એકપણાની ભ્રાંતિ.
  7. એકપણાની ભ્રાંતિ.
  8. ભણકારા-ગુપ્તઅવાજ.
  9. દેહનેજ જોનારો.
  10. સિધ્ધાંજનની વિદ્યા