જુગતે[૧] જગતના દોષ દેખે, પોતાપ્રતે[૨] તે વસે;
અજ્ઞાનને તે જ્ઞાન માને, ઈંદ્રિના સુખને ધસે[૩]. ૩
ક્યારે કહે એ આતમા, ક્યારે કહે એ શૂન્ય છે;
ક્યારે એ જગત સાચું, ક્યારે કહે એ મુન્ય[૪] છે. ૪
વાદ કરે એ તે સહુજ સાથે, નિંદે પણ લક્ષ નવ લહે;
બ્રહ્મવિદ્યાનો ભેદ ન જાણે,વેદ વિટલ[૫] તેહને કહે. ૫
નાસ્તિ[૬] કહે નારાયણને, પણ પ્રપંચ [૭] ન છુટે મનથી;
સંસારનાં સુખ અતિ વલ્લભ[૮], મન ગયું પાપપુન્યથી. ૬
નમે નહિ મહાપુરૂષને, દોષ દીએ છે અણછતાં [૯];
અજ્ઞાનને આગળ કરિને, પ્રબોધે પોતે હુંતા [૧૦]. ૭
આચાર્ય થઇને અન્યને, વાત કહે તે નાસ્ત્યની[૧૧];
ભાવભરોસો નહીં જ દેહનો, જુગત ન સમઝે આસ્ત્યની[૧૨]. ૮
અધમ શૂન્યવાદીનાં એજ લક્ષણ, તે શૂન્યવાદી પૂરા નહી;
ખરા શૂન્યવાદી તેહને કહીએ, વસ્તુવિશ્વ બે ન કરે સહી [૧૩]. ૯
કહે અખો સહુકો સુણો, એ સમજે સુખ બહુ જંતને;
સમી સમજણ તેહ સમજે, જે સેવે હરિ-ગુરુ-સંતને. ૧૦
કડવું ૨૭ મું - જ્ઞાનીના અનુભવનો લક્ષ
વળી કહું આઘો અનુભવ જેહજી, જેજે સમજ્યા પુરૂષવિદેહજી;
કોઇક જાણે મર્મ તો એહજી, જે જઇ નીસરે શૂન્ય છેહજી. [૧૪] ૧