આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ભાઇ આદરવિણ[૧] આવે નહીં, સ્વેં[૨] આત્માનું જ્ઞાન;
સંતને સેવી કામ સાધો, સુખે પામો નિજધામ[૩]. ૪
સંત-સંગ કીધાવિના, જેહવો વનનો હોય પશુ;
ઉપજે ખપે તે વનનો વનમાં, તેહને વસ્તીનું નહિ સુખ કશું. ૫
સંત-સંગે સર્વ સમજે, પશુ ટળી થાય પાત્ર;
સંત કૃપાદૃષ્ટિ કર તો, નવપલ્લવ થાય ગાત્ર. ૬
કામ ક્રોધ લોભ મોહ તાપે, બળી રહ્યું જે મન;
તે જીવને ટાઢો થવાને, સંત તે પરજન્ય[૪] ૭
મમતા ઘાણીએ જોતર્યા, જીવ ચઢ્યા કાળને હાથ;
તેહને સંત કૃપાદૃષ્ટિ કરીને, કાપી મૂકે નાથ. ૮
જેમ કેસરીકેરા[૫] ગંધથી, ભાઇ કરી[૬] પલાયે કોડ[૭];
તેમ સંતકેરા શબ્દ સુણતાં, બંધન જાય બહુ મોડ[૮] ૯
કહે અખો એ ઠામ મહોટો, ઠરવાનો છે જંતને;
ઠરી જીવ ત્યારે ઠામ બેસે, જ્યારે સેવે હરિ-ગુરુ-સંતને. ૧૦