જમાતે કાંઇ જાન[૧] ન હોયે, નીર નથી ઓછું થતું;
સેહેજ એશ્વર્ય માંહે બીપજે, ન જણાય જતું આવતું. ૨
તેમ જગત જગદીશ માંહે, ઉત્પત્તિ લય દીસે ખરી;
ઓછું અદકું કાંઇ ન થાય, સાગર દૃષ્ટાન્તે કરી. ૩
મહા મોટપ સ્વામી કેરી, રસનાએ નથી કહી જતી;
સુર્ત્ય જે સમઝી શકે છે, તે વાણીમાં નથી આવતી. ૪
ભાઇ મોટી દિશા જો પ્રગટે, તો કાંઈક મોટમ લહે;
મોહોટા અનુભવ પાખે[૨], એ બુધ કાંઈનું કાંઈ કહે. ૫
જો અનંત કોટ બ્રહ્માંડ છે, તો તેણીમેલે[૩] તેલ નથી;
મહા મોટમ મહારાજ કેરી, જો ચાલી શકે બુદ્ધિ હદથી. ૬
રસના એ કહિઆથી, જાણવામાં ભાર ઓછો ઘણો;
બ્રહ્માંડ કેરી ભાવના મૂકી, કરે વિચાર જો એ તણો. ૭
જે પદમાં સ્થિતિ કરીને, પછે જુવે બ્રહ્માંડને;
તો બ્રહ્માંડને ઠામ અણુ ન દીસે, તે શું પ્રમાણે પંડને. ૮
જેમ આકાશે કોઈ નર ચઢે, અતિશે તે આઘો જાય;
અવનિના[૪] અંકુર નાના, તે ન દેખે પ્રાય. ૯
કહે અખો સહુકો સુણો, આકાશ પૂર્યો મહંતને;
પિંડ બ્રહ્માંડ સ્વતંત્ર થઈને, દેખે તેહના અંતને. ૧૦
કડવું ૩૮મું-વસ્તુની અદ્વૈતતા
રાગ ધન્યાશ્રી
એ અનંતને બોલ્યા ન જાયજી, મહતા નાવે વાણી માંયજી;
વચન ન લાગે તો કેમ કહેવાયજી, મહા ચૈતબ્ય ધન નહિ મનકાયજી.