આપથી[૧] ઓતળેથકે[૨], અસંભાવના[૩] ઉપજે;
પછે તે વિપરીતભાવના[૪] આચરે, ને દુઃખ પામે થોડે ગજે[૫]. ૩
પંચ પર્વા[૬] માયા-અવિદ્યા, હૂં મારૂં આદે સહી;
તે ફરે ફેરા ભવવિષે, જ્યમ મણિ નિગમે[૭] આંધળો અહિ[૮]. ૪
તે ભોગ દેખી ભૂર[૯] થાયે, લડાવા ઇંદ્રિ-વિષે[૧૦];
સંસારનાં સુખ સત્ય જાણી, કર્મ-મોદક[૧૧] નિત્ય ભખે. ૫
કર્મજડને કર્મ વહાલાં, મર્મ ન સમજે બ્રહ્મનો;
પૂરી પૂરી તે આચરે, પણ ટળે નહીં દેહ ચર્મનો[૧૨]. ૬
પરમાત્માને પુંઠ દઇ, આત્મા ઇંદ્રિ જુવે;
ઇંદ્રિની દ્રષ્ટિ વિષે સાહામી, એમ આપોપું[૧૩] નર ખુવે. ૭
વિષય વરક્ત[૧૪] કરે હરિથી, નીચપણું દે જીવને;
અજ્ઞાને અવળો ફરે, તે સંમુખ ના હોય શિવને. ૮
સંસારનાં સુખ અધિક દેખી, કૃપા માને ઇશ્વરી;
અંતરમાંહેનું જ્યાંન[૧૫] ન જાણે, જે પ્રાણપતિ ગયો વીસરી. ૯
કહે અખો સહુકો સુણો, જો આણો જીવના[૧૬] અંતને;
હીંદો પરમપદને પામવા, તો સેવો હરિ-ગુરુ-સંતને. ૧૦
- ↑ સ્વરૂપથી
- ↑ વિમુખ થવાથી
- ↑ સંશય
- ↑ વિપમર્ય-મિથ્યા જ્ઞાન.
- ↑ સામર્થ્યે
- ↑ વિભાગવાળી
- ↑ ખોવાઇ જવાથી
- ↑ સર્પ જેમ પોતાનો મણિ ખોવાઇ જવાથી આંધળો થઇ જાય છે તેમ અવિદ્યાને હું તથા મારૂં એવડે જીવ પોતાના સ્વરૂપને ભૂલી સંસારમાં ભ્રમણ કરે છે.
- ↑ કામનાવાળો
- ↑ ઈંદ્રિયોને વિષયમાં
- ↑ કર્મરૂપી ભાડું
- ↑ ચામડાનો
- ↑ સ્વરસ્વરૂપને
- ↑ અળગો
- ↑ હાનિ
- ↑ જીવભાવના