પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૧૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૩


વધારે બોજો ન પડી જાય એ વિચારથી ૩૫ ટકા જ નક્કી કરવામાં આવ્યા. અને તેમાંથી ૧ ટકો પણ ન્યાયની દૃષ્ટિએ ઓછો થઈ શકે નહિ એમ હું ખાતરીથી કહી શકું છું.

મજુરોના પગારના વધારા માટેની તપાસના સંબંધમાં તો અત્યારે આટલી જ હકીકત રજુ કરી શકું છું. પરંતુ આ ગાંધી સાહેબને પણ મોકલી છે; અને એમને જરૂર જણાશે તો તેઓ આમાં ઉમેરો કરશે.

લી.
શંકરલાલ ઘેલાભાઈ બેન્કરના
સવિનય વન્દમાતરમ્