પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૧૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૭


છું કે મીલમાલિકોએ કારીગરોને તકરારને લગતા બાકીના વખતના પગારમાં ૩પ ટકા વધારો આપવો, એટલે કે ૨૭ાા ટકા આપતાં બાકી રહેલી રકમ તેઓએ કારીગરોને આપવી.

છેવટે, બન્ને પક્ષે પરસ્પર સહનશીલતા અને શાન્તિથી કામ કર્યું છે અને પંચના નિર્ણયમાં વિલંબ થયો તે દરમીયાન બન્ને પક્ષે માંહોમાંહે સમજીને મીલનું કામ ચાલતું રાખ્યું છે એ સંતોષની વાત અત્રે નોંધું છું. આશા રાખું છું કે ઉભય પક્ષ વચ્ચે સંપથી કામ ચાલ્યાં કરશે.

તા. ૧૦–૮–૧૯૧૮.
આનન્દશંકર બાપુભાઈ ધ્રુવ