આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૫
કેળવાયેલા તેમ બાહોશ માણસ છે. આ ઉપરાંત તેઓ દૃઢ મનના છે. ત્હેમનાં બ્હેન અનસૂયા બ્હેન, મીલમજુરોનાં પ્રતિનિધિ હતાં. તેમનું હૃદય કંચન જેવું નિર્મળ છે, અને ગરીબો પ્રતિ અતિ દયાળુ છે. મીલમજુરો તેમને પૂજે છે, અને તેઓ ઉપર તો તેમના શબ્દની અસર કાયદા
સમાન છે. મેં કોઇ એવી લડત સાંભળી નથી કે જેમાં ખટાશ માત્ર નામની જ હોય અને બન્ને પક્ષ વચ્ચે આટલો બધો વિનય હોય. આવું મધુર પરિણામ, મુખ્યતઃ રા○ અંબાલાલ સારાભાઇ અને અનસૂયા બ્હેનના લડત સાથેના સંબન્ધને લઇને આવ્યું છે.