પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૫


હવે શું કરવુ. તે વિચારીએઃ

૧ ઘણા મજુરોનાં ઘર અને ઘરની આસપાસનો ભાગ મેલો જોવામાં આવે છે. પાતે કામમાં હોય છે ત્યારે આ બાબત ઉપર ધ્યાન નથી આપી શકતા. હવે જ્યારે ફરજીયાત રજા પાળવાનો વખત આવ્યો છે ત્યારે મજુરો પેાતાનાં ઘરબાર અને આંગણાં સાફ કરવામાં અને ઘરો સમારવામાં કેટલોક વખત ગાળી શકે છે.

૨ જેઓ ભણેલા છે તેઓએ પુસ્તકો વાંચવામાં અને પોતાનું ભણતર વધારવામાં વખત ગાળવો. વળી તેઓ અભણને ભણાવી શકે છે. આમ કરે તો એકબીજાને મદદ કરતાં પણ મજુરો શીખી જશે. જેઓને વાંચવાનો શોખ છે તેઓએ દાદાભાઈ પુસ્તકાલય અને વાચનાલય તથા આવાં બીજાં મફત વાંચવાનાં સ્થાનો છે ત્યાં જઇ વાંચવામાં વખત રોકવો.

૩ જેઓને ઝીણા ધંધાઓ માલુમ છે—જેવા કે દરજીના, ફેન્સી સુતારકામના, કોતરકામના—તેવા માણસો પોતે કામ શોધી કાઢી શકે છે, અને ન મળે તો અમારી મદદ એ શોધવામાં લઇ શકે છે.

૪ પોતાની આજીવિકા મળે એ ધંધા સિવાય દરેક માણસે એક બીજા ધંધાનું આછુંવત્તું જ્ઞાન મેળવી લેવું જોઇએ. એટલે મજુરો કાંઈક સ્હેલો નવો ધંધો શીખવામાં પણ પાતાનો કાળ ગાળી શકે છે. શિક્ષણ લેવામાં પણ અમારી તરફથી તેઓ મદદ મેળવી શકશે.