પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૮


૪ જ્યાં સુધી મજુરોને તેઓનો હક મળ્યો નથી ત્યાં સુધી અમે નિરાંતે બેસવાના નથી.

૫ મજુરોની પૈસા સબંધી, નીતિ સબંધી અને કેળવણી સંબંધી સ્થિતિ જાણવા અમે મહેનત કરીએ છીએ. તેઓની પૈસા સંબંધી સ્થિતિ કેમ સુધરે એ બતાવીશું, તેઓની નીતિમાં વધારો થાય એવી મહેનત કરીશું, તેઓ ગંદાઇમાં રહેતા હોય તો ચોખ્ખાઇમાં રહે એવા ઈલાજો શેાધીશું, બતાવીશું, તેઓ અજ્ઞાન હશે તો જ્ઞાન મળે એવો બંદોબસ્ત કરવાની મહેનત કરીશું.

૬ આ લડતમાં જેઓ ભુખે મરવાની સ્થિતિમાં આવી જશે ને જેઓને કંઇ કામ મળી નહિ શકે તેવાને ઓઢાડ્યા પછી અમે ઓઢીશું, તેઓને ખવડાવી અમે ખાશું.

૭ માંદા મજુરોની સારવાર કરીશું, દાક્તર, વૈદની મદદ મેળવીશું.

અમે અમારી જવાબદારી સમજીને આ કામમાં ઉતર્યા છીએ. અમે મજુરોની માગણી તદ્દન વ્યાજબી માનીએ છીએ, ને તે આપતાં માલિકોને નુકસાન નથી પણ અંતે ફાયદો છે. એમ અમે માનીએ છીએ, તેથી જ અમે આ કાર્યમાં પડ્યા છીએ.

આવતા અંકમાં માલિકોની સ્થિતિનો વિચાર કરીશું.