પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૪


માણસો આમાં ઓછા જ વચમાં પડશે. જેને આપણી ઉપર પૂરો ઇતબાર છે તે જ મદદ કરી શકે. ગમે તેવું સાહસ કરીને પણ આ મહા દુઃખમાંથી મજુરોએ છૂટવાની જરૂર છે. આવાં વ્યાજ આપવાં કંગાલીયતનું ભારે કારણ છે. બીજા બધાં કદાચ તેનાથી ઉતરતાં હશે. તેનો વિચાર હવે પછી કરીશું.