પૃષ્ઠ:Anashakti Yog.pdf/૧૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જ્ઞાનવિજ્ઞાનયોગ

આ આધ્યાત્મમાં ઈશ્વર-તત્વ અને ઈશ્વર-ભક્તિ શું છે તે સમજાવવાનો આરંભ છે.

૨૧

श्रीभगवान बोल्याः:

હે પાર્થ ! મારામાં મન પરોવી ને તથા મારો આશ્રય લઈને યોગા સાધતો તું નિશ્ચય પૂર્વક ને સંપૂર્ણ પણે મને કેમ ઓળખી શકે તે સાંભળ. ૧.

અનુભવયુક્ત આ જ્ઞાન હું તને પૂર્ણપણે કહીશ. તે જાણ્યા પછી આ લોકમાં ફરી કંઈ જાણવાનું રહેતું નથી. ૨.

હજારો મનુષ્યોમાંથી કોઈક જ સિદ્ધિને સારુ પ્રયત્ન કરે છે. પ્રયત્ન કરનારા સિદ્ધોમાંથી પણ કોઈક જ મને વાસ્તવિક રીતે ઓળખે છે. ૩.

૭૮