આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૮
અક્ષરબ્રહ્મયોગ
આ અધ્યાયમાં ઈશ્વરતત્ત્વની વિશેષ સમજ છે.
अर्जुन बोल्या :
હે પુરુષોત્તમ ! એ બ્રહ્મનું શું સ્વરૂપ છે ? અધ્યાત્મ શું છે ? કર્મ શું છે ? અધિભૂત શાને કહે છે ? અધિદેવ શું કહેવાય છે ? ૧.
હે મધુસૂદન ! આ દેહને વિશે અધિયજ્ઞ શું અને કઈ રીતે છે ? અને સંયમી તમને મરણસમયે કેમ જાણી શકે ? ૨.
श्री भगवान बोल्या :
જે સર્વોત્તમ અવિનાશી છે તે બ્રહ્મ; પ્રાણીમાત્રને વિશે સ્વસત્તાથી જે રહે છે તે
૮૫