આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
श्री भगवान बोल्या :
હે અર્જુન ! તારી ઉપર પ્રસન્ન થઈને મેં તને મારી યોગ-શક્તિ વડે મારું તેજોમય, વિશ્વવ્યાપી, અનંત, પરમ, આદિ રૂપ દેખાડ્યું છે; તારા સિવાય બીજા કોઈએ પૂર્વે તે જોયું નથી. ૪૭.
હે કુરુપ્રવીર ! વેદાભ્યાસથી, યજ્ઞથી, બીજાં શાસ્ત્રોના અભ્યાસથી, દાનથી, ક્રિયાઓથી, કે ઉગ્ર તપોથી તારા સિવાય બીજું કોઈ આ મારું રૂપ જોવા સમર્થ નથી. ૪૮.
આ મારું વિકરાળ રૂપ જોઈને તું અકળા નહીં, મૂંઝા નહીં. બીક છોડી શાંતચિત્ત થા, અને આ મારું પરિચિત રૂપ ફરી જો. ૪૯.
संजय बोल्या :
વાસુદેવે આમ કહીને અર્જુનને પોતાનું રૂપ ફરી બતાવ્યું. અને ફરી શાંતમૂર્તિ ધારણ કરીને તે મહાત્માએ બીધેલા અર્જુનને આશ્વાસન આપ્યું. ૫૦.
૧૨૦