પૃષ્ઠ:Anashakti Yog.pdf/૧૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

છીએ, અને એ બધા ભાવો તેનામાંથી જ પેદા થાય છે તેથી તે ગતિમાન અને સ્થિર બંને છે.

તે અવિભક્ત હોવા છતાં ભૂતોને વિશે વિભક્તના જેવું પણ રહેલ છે. તે જાણવાયોગ્ય (બ્રહ્મ) પ્રાણીઓનું પાલક, નાશક ને ફરી ઉત્પન્નક્રર્તા છે. ૧૬.

જ્યોતિઓનું પણ તે જ્યોતિ છે, અંધકારથી તે પર કહેવાય છે. જ્ઞાન તે જ, જાણવાયોગ્ય તે જ, અને જ્ઞાનથી જે પમાય છે તે પણ તે જ છે. એવું તે બધાંનાં હૃદયને વિશે રહેલ છે. ૧૭.

આમ ક્ષેત્ર,જ્ઞાન, અને જ્ઞેયને વિશે મેં ટૂકામાં કહ્યું. મારો ભક્ત તે જાણીને મારા સ્વરૂપ સુધી પહોંચવાને યોગ્ય બને છે. ૧૮.

૪૦

પ્રકૃતિ અને પુરુષ બંને અનાદિ છે; અને એમ પણ જાણે કે તમામ વિકારો અને ગુણો પ્રકૃતિમાંથી ઉત્પન્ન થાય છે. ૧૯.

કાર્ય-કારણ-સંબંધી ઉત્પત્તિ પ્રકૃતિને લીધે મનાય છે. જ્યરે સુખ-દુઃખનું ભોગવવાપણું પુરુષને લીધે મનાય છે. ૨૦.

૧૩૨