પૃષ્ઠ:Anashakti Yog.pdf/૧૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આસુર લોકો પ્રવૃતિ શું , અને નિવૃતિ શું ? શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એ જાણતા નથી. તેમજ તેમને નથી હોતું શૌચનું કે આચારનું ભાન અને નથી હોતું એમનામાં સત્ય.

તેઓ કહે છે ઃ જગત અસત્ય, (ધર્મના ) આધાર વિનાનું ને ઈશ્વર વિનાનું છે; કેવળ નરમાદાના સંબંધથી પેદા થયેલું છે. તેમાં વિષયભોગ સિવાય બીજો શો હેતુ હોય ?

આવા અભિપ્રાયને પકડી રાખી ભયાનક કામૂ કરવાવાળા , મંદમતિ, દુષ્ટો, જગતના શત્રુ બનીને તેના નાશને સારુ ઊભરાય છે.

તૃપ્ત ન થાય એવી કામનાઓ સેવીને એ દંભી, માની , મદાંધ, અશુભ નિશ્ચયોવાળા મોહને લીધે, દુષ્ટ ઈચ્છાઓ ગ્રહણ કરીને પ્રવર્તે છે ! ૧૦

પ્રલય સુધી જેનો અંત જ નથી એવી અમાપ ચિંતાનો આશ્રય લઈને , કમોના ઉપભોગ પાછળ પડેલા, “ ભોગ એજ સર્વસ્વ છે,” એવો નિશ્ચય કરવાવાળા, સેંકડો આશાની જાલ માં ફસાયેલા , કામી, ક્રોધી, વિષયભોગને અર્થે અન્યાયપૂર્વક દ્રવ્ય સંચય ઈચ્છે છે. ૧૧. -૧૨

૧૫૬