પૃષ્ઠ:Anashakti Yog.pdf/૧૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આજે મેં આ મેળવ્યું, આ મનોરથ હવે પૂરો કરીશ : આટલું ધન મારીપાસે છે, વળી કાલે આટલું બીજું મારું થશે; આ શત્રુને તો માર્યો , બીજાઓને પણ મારીશ; હું સર્વસંપન્ન છું, ભોગી છું સિધ્ધ છું, બળવાન છું, સુખી છું , હું શ્રીમંત છું ,કુલીન છું, મારા જેવો બીજો કોણ છે ? હું યજ્ઞ કરીશ, દાન દઈશ, આનંદ માણીશ એમ અજ્ઞાનથી મૂઢ થયેલા રાચે છે, અને અનેક ભ્રમણાઓમાં પડીમોહજાળમાં ફસાઈ વિષયભોગમાં મસ્ત થયેલા અશુભ એવા નરકમાં પડે છે.૧૩–૧૪–૧૫–૧૬.

પોતેજ પોતાને મોટા માનનારા ,અક્કડ ,ધન અને માનના મદમાં મસ્ત એવા એ વિધિનો ખ્યાલ રાખ્યા વગર માત્ર નામના જ યજ્ઞ દંભથી કરે છે. ૧૭.

તેઓ અહંકાર, બળ ,ઘમંડ , કામ અને ક્રોધનો આશ્રય લેનારા , નિંદા કરનારા અને પોતાનામાં ને બીજાઓમાં રહેલો જે હું તેનો દ્વેષ કરનારા હોય છે .૧૮.

૧૫૭