પૃષ્ઠ:Anashakti Yog.pdf/૧૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એ નીચ, દ્વેષી, ક્રૂર,અમંગળ નરાધમોને હું આ સંસારમાંની આસુરી યોનિમાં જ વારંવાર નાખું છું. ૧૯

હે કૌંતેય ! જન્મોજન્મ આસુરી યોનિને પામીને અને મને ન પામવાથી એ મૂઢ લોકો એથીયે વધારે અહ્દમ ગતિને પહોંચે છે. ૨૦

૪૯

આત્માનો નાશ કરનારું નરકનું આત્રેવડું દ્વાર છે: કામ ક્રોધ, અને લોભ .તેથી એ ત્રણેનો માણસે ત્યાગ કરવો. ૨૧

હે કૌંતેય ! આત્રેવડા નરકદ્વારથી દૂર રહેનાર મનુષ્યા આત્માનું કલ્યાણ આચરે છે ને તેથી પરમગતિને પામે છે. ૨૨

જે મનુષ્ય શાસ્ત્રવિધિને છોડીને સ્વચ્છન્દે ભોગોમાં રાચે છે તે નથિ મેળવતો સિધ્ધિ કે સુખ , પરમગતિ પણ એને મળતી નથી. ૨૩

નોંધ : શાસ્ત્રવિધિનો અર્થ ધર્મને નામે મનાતા

૧૫૮