પૃષ્ઠ:Anashakti Yog.pdf/૧૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

श्रीभगवान बोल्याः

માણસને એના સ્વભાવ પ્રમાણે ત્રણ પ્રકારની શ્ર્ધ્ધા હોય છેઃ સાત્ત્વિકી, રાજસી ને વળી તામસી; તે તું સાંભળ. ૨.

હે ભારત!બધાની શ્રધ્ધા તેમના પોતાના પ્રકૃત્તિ-સ્વભાવને અનુસરે છે, મનુષ્યને કંઈક ને કંઈક શ્રધ્ધા તો હોય જ, જેવી જેની શ્રધ્ધા તેવો તે થાય છે. ૩.

સાત્ત્વિક લોકો દેવોને ભજે છે, રાજસ લોકો યક્ષોને અને રાક્ષસોને ભજે છે, બાકી રહેકા તમાસ લોકો ભૂતપ્રેતાદિને ભજે છે. ૪.

દંભ અને અહંકારવાળા તેમ જ, કામ અને રાગના બળથી પ્રેરાયેલા જે લોકો શાસ્ત્રીય વિધિ વિનાનું ઘોર તપ કરે છે, તે મૂઢ લોકો શરીરને વિશે રહેલાં પંચમહાભૂતોને, તેમ જ અંતઃકરણમાં રહેલા મને પણ કષ્ટ આપે છે. આવાને આસુરી નિષ્ઠાવાળા જાણ. ૫-૬.

૧૬૧