પૃષ્ઠ:Anashakti Yog.pdf/૧૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હે પાર્થ! જે યજ્ઞ, દાન, તપ કે બીજું કાર્ય શ્ર્ધ્ધા વિના થાય છે તે અસત્ કહેવાય છે. તે નથી અહીંના કામનું કે નથી પરલોકના કામનું. ૨૮.

ૐ તત્સત્

જે બ્રહ્મવિદ્યા પણ છે તેમ જ યોગશાસ્ત્ર પણ છે એવા શ્રી ભગવાને ગાયેલી ઉપનિષદમાં આવેલા શ્રીકૃષ્ણાર્જુન વચ્ચેના સંવાદનો 'શ્ર્ધ્ધા - ત્રય - વિભાગ - યોગ' નામનો સત્તરમો અધ્યાય અત્રે પૂરો થાય છે.

૧૬૬