પૃષ્ઠ:Anashakti Yog.pdf/૧૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૧૮

સંન્યાસ યોગ


આ અધ્યાય ઉપસંહારરૂપે ગણાય. તેનો તેમ જ આખી ગીતાનો પ્રેરકમંત્ર આ કહેવાયઃ 'બધા ધર્મોને તજી મારું શરણ લે.' એ ખરો સંન્યાસ છે. પણ બધા ધર્મોનો ત્યાગ એટલે બધાંકર્મોનો ત્યાગ નહીં.પરોપકારી કર્મો પણ ઈશ્વરને અર્પણ કરવાં અને ફલેચ્છા છોડવી, એ જ સર્વોત્કૃષ્ટ કર્મ છે; એ જ સર્વધર્મત્યાગ કે સંન્યાસ છે.

૫૨

अर्जुन बोल्याः

હે મહાબાહો! હે હૃષીકેશ! હે કેશિનિષૂદન! સંન્યાસ અને ત્યાગનું નોખું નોખું રહસ્ય હું જાણવા ઈચ્છું છું. ૧.

૧૬૭