આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
अर्जुन बोल्याः
હે અચ્યુત! તમારી કૃપા વડે મારો મોહ નાશ પામ્યો છે. મને ભાન આવ્યું છે, શંકાનું સમાધાન થવાથી હું સ્વસ્થ થયો છું. તમારું કહ્યું કરીશ.૭૩.
संजय बोल्याः
આ પ્રમાણે વાસુદેવ અને મહાત્મા પાર્થ વચ્ચેનો આ રૂંવાં ઊભાં કરે એવો અદ્ભુત સંવાદ મેં સાંભળ્યો. ૭૪.
વ્યાસજીની કૃપા વડે યોગેશ્વર કૃષ્ણના શ્રીમુખથી મેં આ ગુહ્ય પરમયોગ સાંભળ્યો.૭૫.
હે રાજન! કેશવ અને અર્જુન વચ્ચેનો આ અદ્ભૂત અને પવિત્ર સંવાદ સંભારી સંભારીને હું ફરી ફરીને હરખાઉં છું. ૭૬.
વળી હે રાજન્! હરિનું તે અદ્ભૂત રૂપ ખૂબ સંભાઅરતો સંભારતો મહાઆશ્ચર્ય પામું છું; ને વારંવાર હરખાયા કરું છું. ૭૭.
૧૮૨