પૃષ્ઠ:Anashakti Yog.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અને આવી ઘણીખરી લડાઈઓ તો 'આ મારું' ને 'આ તારું' એમાંથી થાય છે. સ્વજન-પરજનના ભેદમાંથી આવી લડાઈ થાય છે.

संजय बोल्या :

તે સમયે પાંડવોની સેનાને ગોઠવાયેલી જોઈને રાજા દુર્યોધન આચાર્ય દ્રોણની પાસે જઈને બોલ્યા : ૨.

[दुर्योधन बोल्या :]

હે આચાર્ય ! આપના બુદ્ધિમાન શિષ્ય દ્રુપદપુત્ર ધૃષ્ટદ્યુમ્ને ગોઠવેલી પાંડવોની આ મોટી સેના જુઓ. ૩.

અહીં ભીમ અર્જુન જેવા લડવામાં શૂરવીર મહાધનુર્ધારીઓ, યુયુધાન (સાત્યકિ), વિરાટ, મહારથી દ્રુપદરાજ, ૪.

ધૃષ્ટકેતુ, ચેકિતાન, તેજસ્વી કાશીરાજ, પુરુજિત્ કુંતિભોલ, અને મનુષ્યોમાં શ્રેષ્ઠ એવા શૈબ્ય, ૫.

તેમ જ પરાક્રમી યુધામન્યુ, બળવાન ઉત્તમૌજા, સુભદ્રાપુત્ર (અભિમન્યુ) અને દ્રોપદીના પુત્રો (દેખાય) છે. એ બહા જ મહારથી છે. ૬.

હે બ્રાહ્મણશ્રેષ્ઠ ! હવે આપણા જે મુખ્ય યોદ્ધાઓ છે તેમને આપ જાણમાં લો. મારી સેનાના (એ) નાયકોનાં નામ હું આપના ધ્યાન ઉપર લાવવા સારુ કહું. ૭.