પૃષ્ઠ:Asia nu Kalank.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પ્રકરણ ૩ જું.

ઘરના ઘા.

૧૧ મા અને બારમા સૈકાનીએાની અંદર તો કોરીયા ઉપર કંઈ કંઈ વીતકો વીતી ગયાં. એક વખત એ પ્રજાને શીરે પણ ધર્મની સત્તા જામેલી. બૌદ્ધ સાધુઓનું મંડળ પોતાના સ્વાર્થ ખાતર આખા દેશપર રાજ્ય ચલાવતું. સાધુઓએ પોતાના વિહારોને કિલ્લા બનાવી નાખ્યા. એક હાથમાં તલવાર અને બીજા હાથમાં ધર્મગ્રંથ લઈને સાધુઓ આખી શહેનશાહત ચલાવવા લાગ્યા. પ્રજા પરનો જુલ્મ બેહદ હતો.

ત્યાર પછી ૧૨–૧૩ ની અંદર જગત–વિજેતા જંગીસખાને કોરીઆનો કચ્ચર ઘાણ વાળ્યો. જંગીસખાનના વંશજ કુબ્લાખાને તો કોરીયાને ખંડીયું રાજ્ય બનાવી દીધું. જાપાનની સાથે કોરીઆને વેર કરાવનાર આ જાલીમ કુબ્લાખાન. કુબ્લાખાને કોરીયાની બલાત્કારે સહાય મેળવીને જાપાન પર સ્વારી કરેલી. જાપાન એ દિવસોને ભૂલ્યું નથી.

૧૫