પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૩૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

છૂટા થવા ઈચ્છનાર ગુલામનો ધ્ર્મ સરદરની ભીડનો ઉપયોગ છૂટા થવા સરુ કરવો એ નથી? આ દલીલ તે વેળા મને કેમ ગળે ઊતરે? જો કે હું બે ની સ્થિતિનો ભેદ સમહી શક્યો હતો, પણ મને આપણી સ્થિતિ છેક ગુલામીની નહોતી લાગતી. મને તો એમ લાગતું હતું કે, અંગ્રેજી પદ્ધતિમાં દોષ હતો તેના કરતાં કેટલાક અંગ્રેજી અમલદારોમાં દોષ વધારે હતો. તે દોષ આપણે પ્રેમથી દૂર કરી શકીએ. જો અંગ્રેજોની મારફતે અને તેમની મદદથી આપણે આપણી શિતિ સુધારવા ઇચ્છતા હતા, તો આપણે તેમની ભીડને વખતે તેમને મદદ કરીને સ્થિતિ સુધારવી જોઈએ. રાજ્ય પદ્ધતિ દોષમય હોવા છતાં મને જેમ તે આજ અગી અસહ્ય લાગે છે તેમ તે વેળા અસહ્ય નહોતી લાગતી. આજે અંગ્રેજ રાજ્યને મદદ ન કરું, તેમ જેમનો વિશ્વાસ આજે ઊઠે ગયો છે ને તેથી હું જ નહીં પણ અંગ્રેજી અમલદારો ઉપરથી પણ ઊથી ચૂક્યો હતો તે કેમ મદદ કરવા તૈયાર થાય?

તેમણે આ સમયે પ્રજાની માંગણી મજબૂત રીતે જાહેર કરવાની તેમાં સુધારો કરાવી લેવાની તક જોઈ. મેં આ અંગ્રેજોની આપત્તિને આપણી માગણી કરવાનો વખત ન માની લડાઈ દરમ્યાન હકો માગવાનું મુલતવી રાખવાના સંયમમાં સભ્યતા ને દીર્ઘદ્રષ્ટી જોયાં. તેથી મારી સલાહ ઉપર હું મક્કમ રહ્યો ને જેમને ભરતીમાં નામ લખાવવાં હોય તે લખાવે તેમ સૂચવ્યું. નામો સારી સંખ્યામાં લખાયાં. તેમાં લગભગ બધા પ્રાન્તના નેબધા ધર્મના માણસોનાં નામ હતાં.

લૉર્ડ ક્રૂ ઉપર આ વિષે કાગળ લખ્યો અને હિંદી માગણીનો સ્વીકાર થવા સારુ જલ્કમી સિપાહીઓની સેવા કરવાની તાલીમ લેવાની આવશ્યકતા જણાય તો તાલીમ લેવાની ઇચ્છા ને તૈયારી જાહેર કર્યાં. કઈંક મસલતો પછી લૉર્ડ ક્રૂ એ હિમ્દીમાગણીનો સ્વીકાર કર્યો ને અણીને ટાંકણે સામ્રાજ્યને મદદ દેવાની તૈયારી સારુ આભાર માન્યો.

નામ આપનારાઓએ પ્રસિદ્ધ દાક્તર કેંટલીના હાથ નેચે જખમીઓની સારવાર કરવાની પ્રાથમિક તાલીમનો આરંભ કર્યો. છ અઠવાડીયાનો નાનકડો ક્રમ હતો, પણતેમાં જખમીઓને પ્રાથમિક મદદ દેવાની બધી ક્રિયા શીખવવામાં આવી હતી. અમે લગભગ ૮૦ જણ આ ખાસ વર્ગમાં