પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પાસ થયા પછી કોલેજમાં જઈ આગળ ભણતર ચલાવવું એમ વડીલોની ઈચ્છા હતી. મુંબઈમાં પણ કૉલેજ અને ભાવનગરમાં પણ કૉલેજ. ભાવનગરનું ખરચ ઓછું તેથી ભાવનગરની શામળદાસ કોલેજમાં જવાનો ઠરાવ થયો. ત્યાં મને કાંઈ આવડે નહીં, બધું મુશ્કેલ લાગે, અધ્યાપકોના વ્યાખ્યાનોમાં ન પડે રસ ને ન પડે સમજ. આમાં દોષ અધ્યાપકોનો ન હતો, મારી કચાશનો જ હતો. તે કાળના શામળદાસ કૉલેજના અધ્યાપકો તો પહેલી પંક્તિના ગણાતા. પહેલી ટર્મ (એટલે સત્ર) પૂરી કરી ઘેર આવ્યો.

કુટુંબના જૂના મિત્ર અને સલાહકાર એક વિદ્વાન, વ્યવહારકુશળ બ્રાહ્મણ, માવજી દવે હતા. તેમણે પિતાજીના સ્વર્ગવાસ પછી પણ કુટુંબ સાથેનો સંબંધ કાયમ રાખ્યો હતો. તેઓ આ રજાના દિવસોમાં ઘેર આવ્યાં. માતુશ્રી અને વડીલ ભાઈ સાથે વાતો કરતાં મારા ભણતર વિષે પૂછપરછ કરી. હું શામળદાસ કૉલેજમાં છું એમ સાંભળી કહ્યું : ' જમાનો બદદ્લાયો છે. તમ ભાઈઓમાંથી કોઈ કબા ગાંધીની ગાદી સાચવવા માગો તો તે ભણતર વિના નહીં મળે. આ છોકરો હજુ ભણે છે એટલે ગાદી સાચવવાનો બોજો તેની પાસે ઉપડાવવો જોઈએ. તેને હજુ તો ચાર પાંચ વર્ષ બી. એ. થતાં જશે, એને તેટલો વકહ્ત આપવા ઘતાં તેને પચાસ સાથ રૂપિયાની નોકરી મળશે, દીવાન પદ નહીં મળે. વળી જો એને ત્યાર પછી મારા દીકરાની જેમ વકીલ બનાવીએ તો વળી બીજાં થોડાં વર્ષ જાય, ને ત્યારે તો દીએવાનગીરીને સારુ વકીલો પણ ઘણ તૈયાર થયા હોય. તમારે તેને વિલાયત મોકલવો જોઈએ. કેવળરામ (માવજી દવેના દીકરાનું નામ) કહે છે ત્યાં ભણતર સહેલું છે. ત્રણ વર્ષમાં ભણીને પાછો આવશે. ખરચ પણ ચાર પાંચ હજારથી વધારે નહીં થાય. જુઓને પેલા નવા બરિસ્ટર આવ્યા છે તે કેવા દમામથી રહે છે! તેને કારભારું જોઈએ તો આજે મળે. મારી સલાહતો છે કે મોહન દાસને તમારે આ વર્ષે જ વિલાયત મોકલી દેવો. મારા કેવળરામને વિલાયતમં ઘણાય દોસ્તો છે; તેમની ઉપર તે ભલામણપત્રો આપશે એટલે તેને ત્યાં કશી અડચણ નહીં આવે.

જોશીજી (અમે માવજી દવેને એ નામે સંબોધતા)ને પોતાની સલાહના