પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૪૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
આવેલી છે, તે સુધારામાં મહાસભા અને મુસ્લીમ લીગની મુખ્ય મગણીઓનો સમાવેશ થશે. મારાથી બની શકતું હોર તો હું આવે ટાણે હોમરૂલ વગેરેનું ઉચ્ચારણ સરખું ન કરત. પણ સામ્રાજ્યની અણીને વખતે બધા શક્તિશાલી હિંદીઓને તેના રક્ષણને અર્થે મૂંગે મોઢે હોમાઈ પ્રેરત, એટલું કરવાથી જ અમે સામ્રાજ્યના મોટામાં મોટા અને આદરનેય ભાગીદાર બની જાત.
પણ શિક્ષિત વર્ગે એથી ઓછો અસરકારક માર્ગ લીધો છે. જનસમાજમાં એની વગ ઘણી છે. હું હિંદુસ્તાનમાં આવ્યો છું ત્યારથી જજનસમાજન ગાઢ સંબંધોમાં આવતો રહ્યો છું. અને હું આપને જણાવવા ઈચ્છું છું કે, હોમરૂલની ધગશ તેનામાં પેઠી છે. હોમરૂલ વિના લોકોને કદી સંતોષ થવાનો નથી. તેઓ સમજે છે કે હોમરૂલ મેળવવાને સારુ જેટલો ભોગ અપાય છે તેટલો ઓછો છે. તેથી જોકે સામ્રાજ્યને સારુજેટલા સ્વયંસેવકો આપી શકાય તેરલા આપવા જોઈએ, પન આર્થિક મદદને વિશે હું એમ નથી કહી શકતો. લોકોની સ્થિતિને જાનીને હુમ્ એમ કહી શકું છુંકે હિંદુસ્તાન જે મદદ આપી ચૂક્યું છે તે તેના ગજા ઉપરવટ છે. પણ હું આટલુંસમજું છું કે, સભામાં જેમણે ટેકો આપ્યો છે તેમણે મરણ પર્યંત મદદ આપવાનો નિશ્ચય કર્યો છે. પણ અમારી સ્થિતિ કફોડી છે. અમે કંઈ એક પેઢીના ભાગીદાર નથી. અમારી મદદનો પાય્પ્ ભવિષ્યની આશા ઉપર બંધાયેલો છે, અને એ આશા કઈ છે એ જરા વિશેષે કહેવાની જરૂર છે. હું સાટું કરવા નથી ઈચ્છતો. પણ મારે આટલું તો કહેવું જ જોઈએ કે, તેને વિષે નિરાશા ઉપજે તો સામ્રાજ્યને વિષેની આજલગીની માન્યતા ભ્રમણાગણાશે. આપે ઘરના કંકાસ ભૂલી જવાનું સૂચવ્યું છે; તેનો અર્થ જો એમ હોય કે જુલમો અને અમલદારોના અપકૃત્યો સહન કરવાં, તો એ અસંભવિત છે. સંગઠિત જુલમની સામે બધું બળ વાપરવું હું એ ધર્મ સમજું છું. તેથી અમલદારોને આપે સૂચવવું ઘટે કે છે કે એક પણ જીવને તેઓ ન અવગણેઅને પૂર્વે નથી આપેલું એટલું માન લોકમતને આપે.