પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મેં લેલીસાહેબ ઉપર ચિઠ્ઠી લખી. તેમણે પોતાને રહેવાને બંગલે મને મળવા બોલાવ્યો. એ બંગલાની સીડી ઉપર ચડતાં ચડતાં તેઓ સાઅહેબ મને મળ્યા, અને 'તું બી. એ. થા , પછી મને મળજે. હમણં કંઈ મદાદ્ ન અપાય' એટલું જ કહી ઉપર ચડી ગયા. હું ખૂબ તૈયારી કરીને, ઘણાં વાક્યો ગોખીને ગયો હતો. નીચા નમીને બે હાથે સલામ કરી હતી. પણ મારી મહેનત બધી વ્યર્થ ગઈ!

મારી નજર સ્ત્રીના ઘરેણાં પર ગઈ. વડીલ ભાઈના ઉપર અપાર શ્રદ્ધા હતી. તેમની ઉદારતાની સીમા નહતી. તેમનો પ્રેમ પિતાના જેવો હતો.

હું પોરબંદરથી વિદાય થયો. રાજકોટા આવી બધી વાત સંભળાવી. જોશીજી સાથે મસલત કરી. તેમણે કરજ કરીને પણ મને મોકલવાની ભલામણ કરી. મેં મારી સ્ત્રીના ભાગના ઘરેણાં કાઢી નાખવાની સૂચના કરી. તેમાંથી રૂપિયા બેત્રણ હજારથી વહ્દારે નીકળે તેમ નહોતું. ભાઈએ ગમે તેમ કરી રૂપિયા પૂરા પાડવાનું બીડું ઝડપ્યું.

માતા કેમ સમજે? તેણે બધી તપાસો શરૂ કરી હતી. કોઈ કહે, જુવાનીયા વિલાયત જઈ વંથી જાય છે; કોઈ કહે તેઓ માંસાહાર કરે છે; કોઈ કહે દારૂ વિના ન જ ચાલે, માતા એ આબધું મને સંભળાવ્યું. મેં કહ્યું, 'પણ તું મારો વિશ્વાસ નહીં રાખે? હું તને છેતરીશ નહીં. સોગન ખાઈને કહું છું કે એ ત્રણે વસ્તુથી હું બચીશ. એવું જોખમ હોય તો જોશીજી કેમ જવા દે?'

માતા બોલી, ' મને તારો વિશ્વાસ છે. પણ દૂર દેશમાં કેમ થાય? મરી તો અક્ક્લ નથી ચાલતી. હું બેચરજી સ્વામીને પૂછીશ.' બેચરજી સ્વામી મોઢ વાણિયામાંથી જૈન સાધુ થયા હતા. જોશીજી જેમ સલાહકાર પણ હતા. તમણે મદદ કરી. તેમણે કહ્યું: 'હું એ છોકરા પાસે એ ત્રણે બાબતની બાધા લેવડાવીશ, પછી તેને જવા દેવામાં હરકત નહીં આવે.' તેમણે પ્રતિજ્ઞા લેવડાવી અને મેં માંસ, મદિરા અને સ્ત્રીસંગથી દૂર રહેવાની પ્રતિજ્ઞા લીધી. માતાએ આજ્ઞા આપી.

હાઈસ્કૂલમાં મેળાવડો થયો. રાજકોટનો એક યુવાન વિલાયત જાય એ આશ્ચર્ય ગણાયું. જવાબને સારુ હું કંઈક લખી ગયેલો. તે પણ જવાબમાં ભગ્યે વાંચી શક્યો. માથું ફરતું હતું, શરીર ધ્રૂજતું હતું હતું, એટલું મને યાદ છે.