પૃષ્ઠ:Atmavruttanta.pdf/૧૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ડાયરી
૧૩૯
 

ખપ આવે તેમ પોહોચાડીશ – તેનું હજુ કાંઈ થયું નથી.

મારા ઘરને થોડી મરામત કરવાની હતી. તે કામ લઈ બેશી પુરૂં કર્યું છે. ને તેમાં આશરે રૂ. ૪૫૦ સુધી મજીઆરી ખરચ થયા છે.

નોકરી સંબંધમાં અનેક અનેક પ્રયત્ને એમ છેવટ આવ્યું છે કે વડોદરામાં દિ. બા. મણિભાઈ સાહેબે હાલ રૂ. ૧૮૦૦) બાબાશાહી ઉચક આપી કેટલાંક સંસ્કૃત પુસ્તક ભાષાન્તર કરવા માટે ૬ માસ સુધી સાંપ્યાં છે. તેમણે એમ પણ વચન આપ્યું છે કે એ કામ થઈ રહેતા પૂર્વે કોઈ કાયમ ગોઠવણ વડોદરામાં જ કરીશું. કચ્છમાં ઈન્સ્પેક્ટરની જગો ખાલી થઈ છે. હવે ત્યાં કાંઈ થવાનો પણ સંભવ ખરો – તેમાં મોતીલાલની જે વિરુદ્ધતા જણાય છે તેનો કાંઈક ખુલાસો કચ્છના નોકરીઆત એક બે અત્રે આવેલા તેની વાતથી મળ્યો છે. મારાથી કેવલ બોલાતું નથી તેમ મુસાફરી કરવાની પણ મને શક્તિ નથી, એવી વાત ત્યાં સર્વના સમજવામાં છે. આ વાતનો ખુલાસો થવા માટે બનતો પ્રયત્ન કર્યો છે, તેમ જાતે પણ હું મોતીલાલને મળવા જવાનો છું. – કેમકે વડોદરામાં હજુ કાંઈ શાશ્વત થયું નથી, ને થાય તો પણ ભાષાન્તરને જ થાય તે કામ રાત દિવસ કરવું એ મગજને બહુ શ્રમ પડનારૂં છે માટે કચ્છની નિશ્ચયવાળી નોકરી લેવાની હજુ મને ઇચ્છા છે.

લખવાવાંચવાનું તો ચાલે જ છે - તેમાં રાજયોગ ફરી છપાય છે, ને યોગસૂત્રની વ્યાખ્યા પણ છપાય છે. વડોદરા કન્યાશાળાવાળી સીરીઝનાં ત્રણે પુસ્તકના જે પાઠ મને સોંપ્યા હતા તે લખાઈ ચુક્યા છે. તેમાંના ધર્મ સંબંધી પાઠ જુદા છપાવી લોકને પણ લાભ આપવા મેં ધારેલું પણ તેમ કરવાની લાગતાવળગતાઓએ રજા આપી નહિ. એ સાઠ પાઠ જે મેં લખ્યા છે તેની વ્યવસ્થા કાંઈક આવી છે :