પૃષ્ઠ:Atmavruttanta.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઉત્કર્ષ
૫૭
 

ગબડ્યાં જતું હતું.

જે હેતુથી મુંબઈ આવવું થયું હતું તે હેતુ બર આવ્યો નહિ. મુંબઈ આવવાના વખત પર મને વડોદરા સ્કુલમાં રૂ. 100) કંપનીના પગારથી નોકરી મળતી હતી તે મેં ન લીધી ને મુંબઈ આવ્યો છે એમ માનીને કે કાયદાનો અભ્યાસ કરી LL. B. થઈશ. મુંબઈ આવ્યા પછી અભ્યાસ પણ કરવા માંડયો અને જુરીસ્પ્રુડંસમાં પાસ થયો પણ તે પછી એક વર્ષ આગળ ટર્મ ભરવાનું મન ના થયું. જેમ આ અભ્યાસનું મેં વર્ણન કર્યું છે ને તેમાં વિશેષ ધર્મ સંબંધી જે મેં મારા નિશ્ચયો બતાવ્યા છે તેમાં તેમજ જેટલું બને તેટલું કરી દુનીયામાં પરોપકાર કરવા ઉપયોગી થવામાં મારું મન ઘણું રોકાઈ ગયું હતું. ધર્મ અને પ્રેમ બે મારાં મુખ્ય માનસિક ચિંતવન હતાં ને તેની પાછળ હું ભમતો. મારા વિચારોની પરંપરામાં મેં પરિણામે પ્રેમ અને મોક્ષ (ધર્મ) એકરૂપ ગોઠવી કાઢ્યા હતા તે પરમપ્રેમ – સર્વ જગત્ એક પ્રેમાધિષ્ઠાન – એ જ મોક્ષ એમ માનતો હતો. મારા આમ માન્યા પછીનાં અર્થાત્ ૧૮૮૨ પછીનાં લખાણ પણ એવા જ રંગથી ભરપુર છે. હું શંકરવેદાન્તનો ભક્ત છતાં પ્રેમ બ્રહ્મ ઉભયનું મહદૈક્ય માનતો. આવા હેતુ મનમાં ભરાયા. માણસના જીવતરનો મુખ્ય ઉદ્દેશ મોક્ષ છે, અને તે જીવતરમાં ગંમત મોજમઝા પ્રેમાનુભવ તથા ઉંચા પ્રકારના વાંચન ને વિચારશ્રેણિમાં છે, તથા આવું આંતરસુખ મળ્યા સાથે બાહ્યથી સર્વને ઉપકાર કરતા જવો એ પરમધર્મ છે આવું મારા મનમાં ઉતર્યું હતું. આ કામમાં કાયદાનો અભ્યાસ અને તે અભ્યાસ કરી રહ્યા પછી પણ તેમાં નિપુણતા મેળવવા માટે જરૂરનું નિત્ય વાચન તથા મન એ મને મહાવિધ્નરૂપ દીસવા માંડ્યાં, ને મેં કાયદાનો અભ્યાસ માંડી વાળવાનું મન કરી એક વર્ષ ગુમાવ્યું. એવામાં વડોદરામાં કોલેજ નીકળવાની હતી તેના સંસ્કૃત અધ્યાપકની જગો મને આપવા પત્ર આવ્યું, પણ તેનો પગાર ફક્ત કંપની ૧૦૦) હોવાથી મેં તે જગો ન લીધી. તે પછી થોડે કાળે રેવન્યુ ખાતામાં રૂ. ૩૦)ની તીજોરરની જગો મને મળી; પણ તેમાં મામલતદાર થતાં પહેલાં બે કાયદાની પરીક્ષા આપવી પડશે; એ વિચાર મનમાં આવ્યો. જ્યારે કાયદાની બે પરીક્ષા આપવા સાથે લઉં ત્યારે તો એક LL B જ ના કરૂં કે સ્વતંત્રતાની સ્વતંત્રતા રહે ને કમાણી તથા પ્રતિષ્ઠા પણ થાય એવો વિચાર કરીને મેં તે નોકરીની પણ ના કહી.

આમ થયા પછી મને મારા સ્નેહી રા. ગોકળદાસ કહાનદાસ વારંવાર